Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

કચ્છના 1.80 લાખથી વધુ ખેડૂતો પર આર્થિક બોજો વધ્યો : રાસાયણિક ખાતરના વધતા ભાવ નિયંત્રણમાં લાવવા રજુઆત

કચ્છમાં ખાતરના વધતા જતા ભાવના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે , જેથી ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા રાપરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે . તમામ ચીજવસ્તુઓમાં આવેલા ભાવવધારાના કારણે ખેતીનો ખર્ચ પુષ્કળ પ્રમાણમાં વધી જાય છે અને ખેતીમાં પુષ્કળ ખર્ચ કર્યા પછી પણ ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતાં નુકસાની વેઠવી પડે છે . અનિયમિત વીજળી અને પેટ્રોલ – ડીઝલના ભાવમાં આવેલા ઉછાળાના પગલે ખેડૂતોને ખેતીને લગતા સાધનો ચલાવવા મુશ્કેલ બન્યા છે . ભાવ વધારાથી કચ્છના અંદાજિત 1.80 લાખથી વધુ ખેડૂતો ઉપર આર્થિક બોજો વધી ગયો છે . જિલ્લામાં ઉનાળુ સિઝન માટે રોપાણનું કામ ચાલુ છે તેવામાં સલ્ફેટ ડી.ઈ.પી. સહિતના ખાતરના ભાવમાં 10 થી 15 ટકા એટલેકે , રૂ .150 થી રૂ .280 નો ડામ અપાયો છે . પેટ્રોલ – ડિઝલ , ખાતરના વધતા ભાવથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે . ખેતી પાછળ વધતા જતા ખર્ચની સામે આવક ઓછી થઇ જતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે . જો આવી સ્થિતિ રહી તો ખેડૂતોને ખેતી ક૨વી મોંઘી બનશે અને નાછૂટકે ખેડૂતો ખેતી કરવાનું મૂકી દેશે.

संबंधित पोस्ट

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

Admin

અમરેલી જિલ્લામાં 30,021 વિદ્યાર્થી ધોરણ-10 અને 12 ની પરીક્ષા આપશે

Karnavati 24 News

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ; લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત

Admin

પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના (ફેઝ-૨) અંતર્ગત રાજકોટ તાલુકાના બેડલા, ડેરોઈ, હડમતીયા (ગો.) ખાતે ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાઓ યોજાઇ.

Karnavati 24 News

ભારત માં આ કેરી થી ખેડૂત લાખો રૂપિયા નો નફો કરે છે

Karnavati 24 News

1 જાન્યુઆરીથી થશે આ મોટા બદલાવ, ATMમાંથી કેસ કાઢવાથી લઇને કપડા ખરીદવાનું થશે મોંઘુ

Karnavati 24 News