Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે જૂનાગઢમાં 700 શિક્ષકો દ્વારા વિશાળ રેલી યોજી સૂત્રોચાર

નવી પેન્શન યોજના નિવૃત કર્મચારીઓને અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરવા મજબૂર હોવાનો રાષ્ટ્રીય પેન્શન સંયુક્ત મોરચા માનવું છે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ સહિતનાં સંગઠનોને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે આમ છતાં હજુ સુધી કોઇ પરિણામ નહીં આવતા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે જૂનાગઢમાં ૭૦૦ જેટલા શિક્ષકો દ્વારા ધરણા યોજી વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ અંગે રાષ્ટ્રીય પેન્શન યોજના ના સંયુક્ત મોરચો જૂનાગઢના સંયોજક સુરેશભાઈ ખુમાણ અને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના ઉપાધ્યક્ષ જીતુભાઈ ખુમાણે જણાવ્યું હતું કે સમગ્ર પશ્ચિમ બંગાળમાં આજે પણ જૂની પેન્શન યોજના લાગુ છે ગત તારીખ 28 માર્ચ નો સમય વીતી જતા ગુજરાતના કર્મચારીઓમાં ભારે આક્રોશ છે આ બાબતને જોતા રાષ્ટ્રીય જુની પેન્શન યોજના સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા નાછૂટકે પ્રથમ તબક્કાના આંદોલનની જાહેરાત કરવી પડી છે જેમાં જૂનાગઢના સરદાર બાગ ખાતે ધરણા યોજી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાઈ જૂની પેન્શન યોજના લાગુ કરવાની ઉગ્ર માંગ કરી હતી

संबंधित पोस्ट

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

 આણંદના 13 કેન્દ્ર પર GPSC ની પરીક્ષામાં 46.22 % છાત્રો હાજર

Karnavati 24 News

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

Admin

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin