Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

ઓલપાડ તાલુકાના પરીયા ગામે એક હળપતિ શ્રમજવીએ પત્ની ઉપર ખોટો વહેમ રાખી મનદુઃખ થતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.ઓલપાડ તાલુકાના પરીયા ગામના કુવા ફળીયામાં વિજય પ્રવિણભાઇ રાઠોડ(28)શ્રમજીવી હળપતિ ખેત મજૂરી કરી પેટીયું રળતો હતો. વિજય રાઠોડની પત્ની પિન્ટુબેન રાઠોડે ઓલપાડ પોલીસને રાવ કરતા કહ્યું હતું કે, તેનો પતિ છેલ્લા પાંચેક દિવસથી શક કરતો હતો અને કહેતો હતો કે,તું બીજા છોકરા સાથે કેમ બોલે છે. એવો વહેમ રાખી તેની સાથે બોલાચાલી કરતો હતો. જેથી તેણે ગત શનિવાર,તા.૧૨ ના રોજ બપોરે ૧:૪૫ કલાકના સુમારે પોતે પોતાની જાતે રસોડામાં જઈ છત ઉપર લગાવેલ લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.જેથી તેને સારવાર માટે સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેનું ચાલુ સારવાર દરમ્યાન પ્રાણ પંખીડું ઉડી જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મૃતકની પત્ની પિન્ટુબેને ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. ઓલપાડ પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

કરનાલમાં 4 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડઃ સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને શસ્ત્રો આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

NWDA ભરતી 2022 મદદનીશ ઇજનેર પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો

Karnavati 24 News

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

Karnavati 24 News

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગુ થયા પહેલા ૩૮ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની અન્ય સ્થળે રાજ્યમાં બદલી

Karnavati 24 News

પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના (ફેઝ-૨) અંતર્ગત રાજકોટ તાલુકાના બેડલા, ડેરોઈ, હડમતીયા (ગો.) ખાતે ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાઓ યોજાઇ.

Karnavati 24 News