Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

ઓલપાડ તાલુકાના પરીયા ગામે એક હળપતિ શ્રમજવીએ પત્ની ઉપર ખોટો વહેમ રાખી મનદુઃખ થતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.ઓલપાડ તાલુકાના પરીયા ગામના કુવા ફળીયામાં વિજય પ્રવિણભાઇ રાઠોડ(28)શ્રમજીવી હળપતિ ખેત મજૂરી કરી પેટીયું રળતો હતો. વિજય રાઠોડની પત્ની પિન્ટુબેન રાઠોડે ઓલપાડ પોલીસને રાવ કરતા કહ્યું હતું કે, તેનો પતિ છેલ્લા પાંચેક દિવસથી શક કરતો હતો અને કહેતો હતો કે,તું બીજા છોકરા સાથે કેમ બોલે છે. એવો વહેમ રાખી તેની સાથે બોલાચાલી કરતો હતો. જેથી તેણે ગત શનિવાર,તા.૧૨ ના રોજ બપોરે ૧:૪૫ કલાકના સુમારે પોતે પોતાની જાતે રસોડામાં જઈ છત ઉપર લગાવેલ લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.જેથી તેને સારવાર માટે સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેનું ચાલુ સારવાર દરમ્યાન પ્રાણ પંખીડું ઉડી જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મૃતકની પત્ની પિન્ટુબેને ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. ઓલપાડ પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

સૌથી મોટા સમાચાર કોરોના ને લઈને આ નવી જાહેરાત કરવામાં આવી, જાણો શું કરાઈ આગામી લહેરને લઈને

Karnavati 24 News

વટવા વિસ્તારમાં વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યાલયનું ઉદ્ઘાટન

Karnavati 24 News

માદરે વતન યોજના વિશે જાણો સંપૂર્ણ વિગત શુ છે આ યોજના

Karnavati 24 News

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪ પોલીસ કર્મચારીઓ ની ( E.O.W ) આર્થિક ગુના નિવારણ શાખા માં બદલી કરાઈ.

Karnavati 24 News

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

Karnavati 24 News
Translate »