Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસો થી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફ થી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા હતા.
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા તરફ થી કેન્દ્ર સરકારમાં સતત કરવામાં આવેલ રજુઆત અને પ્રયાસોના ફળસ્વરૂપે વર્ષ : 2017-18 ના રેલ બજેટમાં (1) ખીજડિયા-વિસાવદર (2) વિસાવદર-જૂનાગઢ અને (3) વિસાવદર-તાલાળા-વેરાવળ મીટરગેજ રેલ લાઈનોને બ્રોડગેજમાં પરિવર્તન કરવાની મંજૂરી મળ્યા બાદ રેલ વિભાગ તરફ થી DPR બનાવી તેની દરખાસ્ત રેલવે બોર્ડને સોંપાઈ ગયેલ હતી. પરંતુ આ લાઈનો ગીર ફોરેસ્ટ માંથી પસાર થતી હોવાને લીધે વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સ (NOC) ન મળવાને લીધે આ તમામ કામોને રેલવે બોર્ડ તરફ થી લો-પ્રાયોરિટીમાં રાખવામાં આવ્યા હતા.

જે અન્યવે સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને રેલવે બોર્ડને સમયાંતરે કરવામાં આવેલ રજૂઆતોના અનુસંધાને ગત તા. 03.03.2022 ના રોજ માન. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને મળેલ રેલ મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી સાંસદએ આ તમામ પ્રોજેક્ટ્સને લો-પ્રાયોરિટી માંથી દૂર કરી હાઈ-પ્રાયોરિટીમાં લેવાનો નિર્ણય કરાવેલ હતો.
જે અંગે રેલવે બોર્ડના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વ પ્રોજેકટ મોનીટરિંગ વિકાસ કુમાર જૈન દ્વારા તા. 04.03.2022 થી સાંસદ નારણભાઈ કાછડીયાને જાણ પણ કરવામાં આવેલ છે. અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે અને લોકોના પ્રશ્નોને લોકસભા ગૃહ સુધી વાચા આપવા માટે હંમેશા તત્પર એવા સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોને લીધે હવે આગામી ટુક સમયમાં આ તમામ પ્રોજેક્ટ્સની પેન્ડિંગ પડેલ કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે….

संबंधित पोस्ट

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

‘ખેલ-તમાશો થયો?’ શત્રુઘ્ન સિંહાએ ગુજરાતની જીત પર પીએમ મોદીને આપ્યા અભિનંદન, સવાલો પણ ઉઠાવ્યા

Admin

પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Karnavati 24 News

અમદાવાદ બાવળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

Karnavati 24 News

મોરબી બેઠક પરથી ભાજપના કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકોની વિશાલ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin
Translate »