Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 સેલવાસમાં લોનના નામે 30,000ની છેતરપીંડી કરનાર આરોપીની બિહારથી ધરપકડ

દાનહના અથાલમાં રહેતા જયપ્રકાશ શ્રીરામએ 02માર્ચ 2020ના રોજ મધ્યપ્રદેશની એચડીએફસી બેંકમા ઓનલાઇન પર્સનલ લોન માટે અરજી કરી હતી.એ જ સમયે એમને લોન આપવા માટે ફોન આવ્યો હતો. જેણે રિલાયન્સ ફાઇનાન્સ મુંબઇનો કર્મચારી હોવાનું જણાવ્યું હતુ અને અરજી કરવા માટે એક લીન્ક મોકલાવી હતી. જેથી આપેલા નિર્દેશ મુજબ ફરિયાદીએ 30 હજાર રૂપિયા પંજાબ નેશનલ બેંક પટના શાખાના ખાતામાં જમા કરાવી દીધા હતા. લોન માટે જે અરજી કરી હતી એ પાસ ન થતા ફરિયાદીએ રિલાયન્સ ફાયનાન્સની ઓફિસની તપાસ કરી પણ તેવી કોઈ જ ઓફિસ ના હોવાનુ જાણવા મળ્યુ હતું.

ફરિયાદના આધારે પોલીસે આઈપીસી 420, 34 મુજબ ગુનો નોંધી એસપીના નિર્દેશ અનુસાર પીએસઆઇ જીગ્નેશ પટેલ, અને એમની ટીમે તપાસ હાથ ધરી પટના બિહાર ખાતે ગયા હતા અને ત્યાં ખાતાધારકની માહિતી મેળવી આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝાને પકડી પાડી સેલવાસ લાવ્યા હતા. જેની વધુ તપાસમાં તેણે અલગ અલગ કેસોમા છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યુ હતું.

આરોપીએ પંજાબ નેશનલ બેંક ઓફ પટના શાખામા શાળામાં ભણતા છોકરાના નામે છેતરપિંડી કરવાના ઈરાદાથી ખાતુ ખોલાવ્યુ હતુ અને વિવિધ જગ્યાએ એટીએમ અને પાસબુક સંચાલિત કરતો હતો. જેમાં તેના અન્ય સાથીદાર સાથે મળી જનતાને અલગ અલગ બહાનુ બનાવી છેતરપિંડી કરી કમાણી કરી ખાતામા પૈસા જમા કરતો હતો.

આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા 23 ડિસેમ્બર સુધી પીસીઆર કસ્ટડી આપવામા આવી છે. તેમજ ખાતાધારક જે કિશોર વયનો છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે.

संबंधित पोस्ट

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin

જાહેરમાં ફાયરિંગ કરનાર યુવકનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ: ફાયરિંગ કરનાર શખ્શની ધરપકડ

Karnavati 24 News

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

જુનાગઢ થી 15.18 લાખનો અનાજ નો જથ્થો ભરીને નીકળેલ ટ્રક લઈ ચાલક ફરાર

Admin

જાલણ સર પાસે પેટ્રોલ પંપ ના માલિક પર પિતા પુત્રોનો હુમલો

Admin

ભિલોડાના કડવથમાં મહિલા સાથે બિભત્સ વર્તન કરી તેના પતિ પર ચપ્પુથી હુમલો

Translate »