Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 સેલવાસમાં લોનના નામે 30,000ની છેતરપીંડી કરનાર આરોપીની બિહારથી ધરપકડ

દાનહના અથાલમાં રહેતા જયપ્રકાશ શ્રીરામએ 02માર્ચ 2020ના રોજ મધ્યપ્રદેશની એચડીએફસી બેંકમા ઓનલાઇન પર્સનલ લોન માટે અરજી કરી હતી.એ જ સમયે એમને લોન આપવા માટે ફોન આવ્યો હતો. જેણે રિલાયન્સ ફાઇનાન્સ મુંબઇનો કર્મચારી હોવાનું જણાવ્યું હતુ અને અરજી કરવા માટે એક લીન્ક મોકલાવી હતી. જેથી આપેલા નિર્દેશ મુજબ ફરિયાદીએ 30 હજાર રૂપિયા પંજાબ નેશનલ બેંક પટના શાખાના ખાતામાં જમા કરાવી દીધા હતા. લોન માટે જે અરજી કરી હતી એ પાસ ન થતા ફરિયાદીએ રિલાયન્સ ફાયનાન્સની ઓફિસની તપાસ કરી પણ તેવી કોઈ જ ઓફિસ ના હોવાનુ જાણવા મળ્યુ હતું.

ફરિયાદના આધારે પોલીસે આઈપીસી 420, 34 મુજબ ગુનો નોંધી એસપીના નિર્દેશ અનુસાર પીએસઆઇ જીગ્નેશ પટેલ, અને એમની ટીમે તપાસ હાથ ધરી પટના બિહાર ખાતે ગયા હતા અને ત્યાં ખાતાધારકની માહિતી મેળવી આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝાને પકડી પાડી સેલવાસ લાવ્યા હતા. જેની વધુ તપાસમાં તેણે અલગ અલગ કેસોમા છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યુ હતું.

આરોપીએ પંજાબ નેશનલ બેંક ઓફ પટના શાખામા શાળામાં ભણતા છોકરાના નામે છેતરપિંડી કરવાના ઈરાદાથી ખાતુ ખોલાવ્યુ હતુ અને વિવિધ જગ્યાએ એટીએમ અને પાસબુક સંચાલિત કરતો હતો. જેમાં તેના અન્ય સાથીદાર સાથે મળી જનતાને અલગ અલગ બહાનુ બનાવી છેતરપિંડી કરી કમાણી કરી ખાતામા પૈસા જમા કરતો હતો.

આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા 23 ડિસેમ્બર સુધી પીસીઆર કસ્ટડી આપવામા આવી છે. તેમજ ખાતાધારક જે કિશોર વયનો છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે.

संबंधित पोस्ट

વઘાસિયા. અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના દેવગામે પીડિત પરિવાર ની મુલાકાતે આવેલા અમદાવાદ નાં નીતિનભાઈ જાની ઉપનામ ખજૂર ભાઈ આવેલા હતા. તેનો વીડિયો સુટિગ કરનાર કણૉવતી 24 ન્યુઝ નાં પત્રકાર પ્રકાશભાઇ જી. વઘાસિયા.

Karnavati 24 News

 મોરકંડા રોડ પર ચાર સખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી

Karnavati 24 News

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ

Admin

વેરાવળના આંબલીયાળા ગામના આધેડ પર ફાયરીંગ કરી નાશી જનાર આરોપી ઝડપાયો

ओपेक के तीन डॉक्टर पर सामूहिक दुष्कर्म का आरोप, मुकदमा दर्ज़

Admin

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ નિમિત્તે મેદરડા તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

Karnavati 24 News