Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 7-8 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે હરાજી, 10 ટીમ રમતી જોવા મળશે

બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેગા હરાજીનું આયોજન સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં કરશે. બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ આ જાણકારી આપી છે.

આ આઇપીએલની અંતિમ મેગા હરાજી હોઇ શકે છે કારણ કે મોટાભાગની મૂળ આઇપીએલ ટીમ હવે તેને બંધ કરવા માંગે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યુ, કોરોના મહામારીને કારણે સ્થિતિ ખરાબ નહી થવાની દશામાં આઇપીએલની મેગા હરાજી ભારતમાં યોજાશે. બે દિવસીય હરાજી સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે, જેની તૈયારી ચાલી રહી છે.

એવા સમાચાર હતા કે હરાજી યૂએઇમાં યોજાશે પરંતુ બીસીસીઆઇની આવી કોઇ યોજના નથી. કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટના કેસ વધવાની દશામાં વિદેશ યાત્રાને લઇને પ્રતિબંધ હોઇ શકે છે જેનાથી ભઆરતમાં તેને કરાવવુ આસાન હશે. આ વર્ષે આઇપીએલમાં 10 ટીમ હશે. લખનઉં અને અમદાવાદની નવી ટીમ જોડાઇ ગઇ છે. બન્ને ટીમ પાસે ડ્રાફ્ટમાંથી પસંદ કરવા માટેના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવાનો ક્રિસમસ સુધીનો સમય છે. બીસીસીઆઇ તેમણે વધારાનો સમય આપી શકે છે.

મોટાભાગની ટીમનું માનવુ છે કે દર ત્રણ વર્ષમાં હરાજી થવા પર ટીમ કોમ્બિનેશન બગડી જાય છે. દિલ્હી કેપિટલ્સના કો ઓનર પાર્થ જિંદલે કહ્યુ હતુ કે ટીમ બનાવવામાં એટલી મહેનત કર્યા બાદ ખેલાડીઓને ફારિંગ કરવા ઘણા કઠિન હોય છે.

संबंधित पोस्ट

ફરીદાબાદ: ગુજરાતમાં યોજાયેલી પ્રથમ ઓપન માસ્ટર્સ એથ્લેટિક સ્પર્ધામાં ફરીદાબાદના દોડવીરો ચાર ગોલ્ડ સાથે પરત ફર્યા હતા

Karnavati 24 News

ઉમરાન મલિકને તક મળવી મુશ્કેલઃ જાણો દક્ષિણ આફ્રિકા સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?

Karnavati 24 News

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News

BCCI: ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માનુ નામ નિશ્વિત! શ્રીલંકા સામે ઘરેલુ સિરીઝ માટે આગામી સપ્તાહે થશે એલાન

Karnavati 24 News

કોચ રાહુલ દ્રવિડ આ કારણે ટીમ ઇન્ડીયા પર ગુસ્સે ભરાયા

Karnavati 24 News

IND A Vs NZ A: ભારત વિરૂદ્ધ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની એ ટીમની જાહેરાત, આ મોટા ખેલાડીઓને મળી તક

Karnavati 24 News
Translate »