Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 7-8 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે હરાજી, 10 ટીમ રમતી જોવા મળશે

બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેગા હરાજીનું આયોજન સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં કરશે. બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ આ જાણકારી આપી છે.

આ આઇપીએલની અંતિમ મેગા હરાજી હોઇ શકે છે કારણ કે મોટાભાગની મૂળ આઇપીએલ ટીમ હવે તેને બંધ કરવા માંગે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યુ, કોરોના મહામારીને કારણે સ્થિતિ ખરાબ નહી થવાની દશામાં આઇપીએલની મેગા હરાજી ભારતમાં યોજાશે. બે દિવસીય હરાજી સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે, જેની તૈયારી ચાલી રહી છે.

એવા સમાચાર હતા કે હરાજી યૂએઇમાં યોજાશે પરંતુ બીસીસીઆઇની આવી કોઇ યોજના નથી. કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટના કેસ વધવાની દશામાં વિદેશ યાત્રાને લઇને પ્રતિબંધ હોઇ શકે છે જેનાથી ભઆરતમાં તેને કરાવવુ આસાન હશે. આ વર્ષે આઇપીએલમાં 10 ટીમ હશે. લખનઉં અને અમદાવાદની નવી ટીમ જોડાઇ ગઇ છે. બન્ને ટીમ પાસે ડ્રાફ્ટમાંથી પસંદ કરવા માટેના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવાનો ક્રિસમસ સુધીનો સમય છે. બીસીસીઆઇ તેમણે વધારાનો સમય આપી શકે છે.

મોટાભાગની ટીમનું માનવુ છે કે દર ત્રણ વર્ષમાં હરાજી થવા પર ટીમ કોમ્બિનેશન બગડી જાય છે. દિલ્હી કેપિટલ્સના કો ઓનર પાર્થ જિંદલે કહ્યુ હતુ કે ટીમ બનાવવામાં એટલી મહેનત કર્યા બાદ ખેલાડીઓને ફારિંગ કરવા ઘણા કઠિન હોય છે.

संबंधित पोस्ट

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો પરંતુ નુકસાન અને દંડનો સામનો કરવો પડ્યો હતો

Karnavati 24 News

રશિયન હુમલાથી બચીને ફાઇનલમાં પહોંચી યુક્રેનની ટેનિસ સ્ટાર, કહ્યું- હું દેશ માટે જીતીશ

Karnavati 24 News

SRHની હાર માટે વિલિયમસન દોષિત: દિલ્હી સામે 40થી ઓછો સ્ટ્રાઈક રેટ, ટુર્નામેન્ટની 10 ઇનિંગ્સમાં માત્ર 1 અડધી સદી ફટકારી

ભાસ્કર વિશ્લેષણ: હૈદરાબાદનો ઉમરાન સૌથી સફળ અનકેપ્ડ પ્લેયર, બેઝ પ્રાઈઝ આયુષ બદોની ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમે છે

Karnavati 24 News

17 કરોડના રોનાલ્ડોની કાર અકસ્માતનો ભોગ: ઘરના એન્ટ્રી ગેટ પર જ થયો અકસ્માત, સ્ટાર ફૂટબોલરનો ડ્રાઈવર ભાગી છૂટ્યો

Karnavati 24 News

હાર્દિક પંડ્યાને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળવી જોઇએ, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નિવેદન

Karnavati 24 News