Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી છે. વડોદરામાં જાહેર કાર્યક્રમમાં કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આ માંગ કરી હતી.

વિધાનસભાની ચૂંટણી પહેલા નિરીક્ષક તરીકેની મોટી જવાબદારી અશોક ગેહલોતને સોંપવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભરતસિંહ સોલંકીએ આ વાત કહી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે.

લોકસભાની ચૂંટણી કોગ્રેસ ગેહલોતની આગેવાનીમાં લડે તેમ તેમણે કહ્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, અશોક ગેહલોત કોંગ્રેસને જીતાડીને રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવે તેમ તેમણે કહ્યું હતું. ખાસ કરીને આગામી ડિસેમ્બર મહિનામાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકીએ પણ તેમનો મત આપ્યો હતો.
થોડા સમય પહેલા રાજકીય ક્ષેત્રે બ્રેક લીધા બાદ ભરતસિંહ સોલંકી ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં સક્રીય બન્યા છે. ત્યારે વડોદરાના કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. ગઈકાલથી જ અશોક ગેહલોતનો રાજકીય પ્રવાસ નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાયા બાદ શરુ થયો છે. તેઓ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના પ્રવાસે છે.

संबंधित पोस्ट

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

ધ્રાંગધ્રા – હળવદના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Karnavati 24 News

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

Karnavati 24 News
Translate »