Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી શુક્રવારના દિવસે ગુજરાત ના અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અમદાવાદ પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આગામી તારીખ 11 માર્ચ 2022 ના શુક્રવારના રોજ સવારે 10:00 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવવાના છે ઇન્ટરનેશનલ એરપોર્ટ થી કમલમ કાર્યાલય સુધીનું એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ આ રોડ શોમાં હજારો લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો હોદ્દેદારો ધારાસભ્ય સાંસદ સભ્યો તેમજ જાહેર જનતા રોડ શોમાં વડાપ્રધાન મોદીને નિહાળવા માટે ઉપસ્થિત રહેવાના છે ઉલ્લેખનીય છે કે કોરોના કાર બાદ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રીતે roadshow પ્રથમ કહી શકાય જેને લઇ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પ્રમુખ સી આર પાટીલ તેમજ તમામ કાર્યકરો ધારાસભ્યો સહિતના આગેવાનો કામે લાગી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે

संबंधित पोस्ट

છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઓફિસમાં રહેતો અનિલ હેગડે એટલો સમર્પિત છે કે તેણે લગ્ન પણ કર્યા નથી.

Karnavati 24 News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

Karnavati 24 News

યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએમ બનશે કે નહીં? શું કહે છે તેમની કુંડળી?

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

આપ નેતા ઇસુદાનને જામીન:દિલ્હીથી આવેલા સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાનને છોડાવ્યા, પાર્ટીના નેતા માટે કેજરીવાલે દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા

Karnavati 24 News
Translate »