Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यરાજકારણસ્થાનિક સમાચાર

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

2020ની સાલમાં કોરોનાને કારણે મ્યુ.કોર્પોરેશનના અમુક પ્રોજેક્ટની ગતિ રોકાયા બાદ કામગીરી પુન:: વેગવંતી કરવામાં આવી છે. આથી હવે વર્ષ ર0રરમાં મ્યુ.કોર્પો. દ્રારા શહેરને બે આવાસ યોજનાઓ, રેલ્વે ઓવરબ્રીજ માર્ચ- એપ્રીલમાં તેમજ રૂ.7 કરોડના ખર્ચે બનનારું જનરલબોર્ડનું ભવન વર્ષના અંતે પ્રાપ્ત થાય તે રીતે કામ ચાલે છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2020-21ના નાણાકીય વર્ષના બજેટમાં શહેરમાં હાપા માર્કેટીંગ યાર્ડ અને લાલપુર બાયપાસ પાસે બે ફાયર સ્ટેશનો, નલ સે જલ યોજનાના રૂ.75 કરોડના પાઈપલાઈનના કામો, ગુલાબનગર સમ્પ ખાતે રૂ.1.68 કરોડના ખર્ચે સમ્પ ડીસ્મેન્ટલ કરીને નવો બનાવવા, ભુગર્ભ ગટરના રૂ.45 કરોડ ઉપરાંતના કામો સહિતના પ્રોજેક્ટો દર્શાવવામાં આવ્યા બાદ માર્ચ માસથી જ કોરોનાની બીજી લહેરે તંત્રના આયોજનને ખોરંભે ચડાવ્યું હતું. લેબરોના અભાવે પમ્પ હાઉસ, નલ સે જલ સહિતની યોજનાના કામો થોડો સમય ખોરંભે ચડ્યા હતા. જે બાદ સ્થિતિ સમાન્ય થતાં પ્રોજેક્ટ કાર્યો ફરી ગતિમાન થયા હતા. આગામી વર્ષ ર0રરની વાત કરીએ તો શહેરમાં દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જતા રસ્તા પર એક કી.મી.ની લંબાઈનો 30 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રીજ બની રહ્યો છે. જેનું કામ પુર્ણતાને આરે હોવાથી સંભવત: માર્ચ ર0રરમાં આ રેલ્વે ઓરવબીજ ઉપયોગ માટે તૈયાર થઈ જશે. મ્યુ.કોર્પોરેશનના મુખ્ય બીલ્ડીંગની પાછળ જર્જરિત જુની ઓફીસ તોડીને તે સ્થાને રૂ.7 કરોડના ખર્ચે કચેરી સહિતની સુવિધા ધરાવતો 200ની ક્ષમતાનો જનરલ બોર્ડ મીટીંગ હોલ બનાવવાની કામગરી ચાલુ થશે. જે કામ પણ સંભવત: વર્ષ 20રરમાં પુરું થઈ જશે. આ જ રીતે શહેરમાં બેડેશ્વર ઓવરબ્રીજના બેડેશ્વર બાજુના બંન્ને છેડે મ્યુ. કોર્પોરેશનના બે પ્રોજેક્ટો ચાલે છે. આ વિસ્તારમાં કોર્પોરેશનની ઈકોનોમિક વિકર સેક્શન વર્ગના લોકો માટે વન બેડ હોલ કિચન અને ટુ-બેડ હોલ કિચનના 272 આવાસો અને રૂમ.1.5 કરોડના ખર્ચે શહેરી ગરીબો માટે રેનબસેરા બનાવવાનું કામ ચાલુ છે. આ ઉપરાંત રણજીતસાગર રોડ પર આવેલી ઘાંચી કોલોની તરીકે ઓળખાતા વિસ્તારમાં વન બેડ હોલ કિચન ધરાવતા 96 આવસો નિર્માણાધિન છે. જે કામો માર્ચ- એપ્રીલ આસપાસ પુરા થવાની શક્યતા છે.

संबंधित पोस्ट

દક્ષિણ ભારતનું સૌથી મોટું મ્યુઝિક લેબલ લાહિરી મ્યુઝિકનું ફિલ્મ નિર્માણમાં પ્રવેશ

Karnavati 24 News

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

Karnavati 24 News

क्या पेपर पर ड्रॉ हुई मछली हो सकती है जिन्दा? इस शख्स ने सच में कर दिया मछली को जिन्दा

Karnavati 24 News

बच्‍चों में डालें एक्‍सरसाइज की आदत, आपके बच्चे जीवनभर रहेंगे तंदुरुस्त

Admin

जयराम रमेश का दावा- ED के पास पूछने के लिए नहीं थे सवाल, इसलिए सोनिया गांधी को जाने की दी अनुमति

Karnavati 24 News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવી શકે છે, અગાઉ દાહોદનો પ્રવાસ નક્કી થયો છે

Karnavati 24 News