Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અરવલ્લી : ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકશો તો જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાશે

મોડાસા શહેરમાં પણ અગાઉ ટુ વ્હીલર વાહન પર બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો હોવાથી જીલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી જાહેરસ્થળોએ ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર ૧૫ એપ્રિલ સુધી નધણિયાત મુકવા નહીં નું જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

ગુજરાત રાજ્યમાં અમદાવાદ,મોડાસા શહેર (અરવલ્લી), તેમજ બેંગ્લોર, મુંબઈ અને દિલ્હી શહેરમાં આતંકવાદી સંગઠનો દ્વારા શ્રેણીબધ્ધ બોબ્મ વિસ્ફોટો કરવામાં આવે છે. જે તમામ બનાવને જોતાં જાહેર જગ્યા ઉપર બોબ્મ વિસ્ફોટ કરવા માટે ખાસ કરીને સાયકલ તથા ટુ વ્હીલર વાહન ઉપર ટીફીન બોક્ષ અથવા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી રાખી બોબ્મ ધડાકા કરવામાં આવે છે. મોડાસા શહેરમાં પણ અગાઉ ટુ વ્હીલર વાહન પર બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો હોવાથી જીલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી જાહેરસ્થળોએ ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર ૧૫ એપ્રિલ સુધી નધણિયાત મુકવા નહીં નું જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

અરવલ્લી જીલ્લા અધીક કલેકટર એન.ડી.પરમારે ૨૨ માર્ચે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં મોડાસા શહેરમાં અગાઉ ભૂતકાળમાં ટુ વ્હીલર વાહન ઉપર બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો હોવાનો ઉલ્લેખ કરી આવા બોબ્મ વિસ્ફોટો જ્યાં લોકોની વધુ અવર જવર હોય અને ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાયે કરવામાં આવે છે આ સ્થિતિને નિવારી શકાય અથવા તો અંકુશ મુકી શકાય તે સારૂ અરવલ્લી જિલ્લાની જનતાએ સુરક્ષાની દ્રષ્ટિએ આવી જાહેર જગ્યાઓ ઉપર ટીફીન બોક્ષ અગર અન્ય કોઈ સામાન સાથે તથા સાયકલ તથા ટુ વ્હીલર વાહન કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકવું હિતાવહ નથી જેથી આવા આતંકવાદીઓના હિંસાત્મક કૃત્યોને રોકવા માટે જાહેર વ્યવસ્થા, શાંતિ સલામતી અને હિત જળવાઈ રહે આ જાહેરનામાનો સમગ્ર જીલ્લામાં અમલીકરણ કરવાનો રહશે અરવલ્લી જિલ્લામાં ટીફીનબોક્ષ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર સાધનો જાહેર રસ્તા,રોડ તથા ફુટપાથ ઉપર કોઈ વ્યક્તિની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) બિનવારસી મુકવા નહી. આવા ટીફીન બોક્સ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર વાહનો બિનવારસી હાલતમાં મળી આવશે તો પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકશે.આ જાહેરનામું ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ના ને કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

संबंधित पोस्ट

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Karnavati 24 News

 ભરૂચ ના દહેજ ખાતે આવેલ જોલવા ગામ ખાતે નજીવી બાબતે થયેલ ઝઘડા માં એક યુવકની હત્યા

Karnavati 24 News

અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ ભિલોડા નજીકથી પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

Karnavati 24 News

फरीदाबाद: पार्क में एक महिला का निर्वस्त्र शव, गुप्तांग में डाला हुआ था लोहे का पाइप

Admin

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કરતાં ઇજાગ્રસ્ત

Karnavati 24 News