Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 ભુજના પ્રમુખ સ્વામી નગરમાં સોનાનો વેપારી લૂંટાયો

 

ભુજ શહેરમાં પહેલા પણ ચેઇન સ્નેચિંગના ગુનાઓ થયેલા છે પણ તેનો ભેદ હજી સુધી વનઉકેલાયેલા છે. તેવામાં પ્રમુખ સ્વામીનગરના ઓધવ એવેન્યુ- ૨ માં રહેતા ૫૯ વર્ષીય કાન્તિલાલ શિવજીભાઈ તન્ના, કે જેમની ખાવડામાં જવેલરીની દુકાન છે તેમની પાસેથી અજાણ્યા બે બાઈકસવાર ૨ લાખ ૭ હજારની કિંમતના દાગીના ભરેલી થેલી ઝૂટવીને નાસી ગયા હતા. તેઓ દરરોજ ઘરેથી એક્ટિવા લઈને ભીડ નાકે તેમના સંબંધીની દુકાન પાસે પાર્ક કરીને એસટીમાં ખાવડા અપડાઉન કરે છે. ગત સાંજે નિત્યક્રમ મુજબ તેઓ ખાવડાથી ભુજ આવીને એક્ટિવા પર આગળ દાગીનાની થેલી લઈને પોતાના ઘર તરફ જતા હતાં ત્યારે પ્રમુખ સ્વામીનગરના બીજા ગેટની અંદર પોતાના ઘર તરફ ગલીમાં એક્ટિવા વાળી એટલે સામેથી બે અજાણ્યા બાઈકસવાર તેની સામે આવી ગયા અને બાઈક તેમની એક્ટિવા સાથે ભટકાવવાનું ચાલુ કર્યું. તેમાંનો એક શખ્સ બાઈક પરથી ઉતરીને એક્ટિવા પરની થેલી લઈ લીધી અને બંને ત્યાંથી નાસી ગયા. અંધારું હોવાને કારણે કાન્તિભાઈ તેમની બાઈક નંબર જોઈ શક્યા નહીં, તેઓ બાઈકસવારોને જોવા માટે જ્યુબિલિ સર્કલ સુધી ગયા પણ કાંઈ પતો લાગ્યો નહીં. ત્યારબાદ મોડી રાત્રે તેઓએ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ જોયા પરંતુ કાઈ માલુમ થયું નહીં.

संबंधित पोस्ट

નોઈડાના પબમાં ચાઈનીઝ સ્લીપર સેલે બેઠક યોજી : નેપાળ થઈને ચીનના નાગરિકોનો ભારતમાં પ્રવેશ, જરૂરી ડેટા એકત્રિત

Karnavati 24 News

મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી સંદીપનું મોત, હાથ-પગ બાંધવામાં આવ્યાઃ 75 લાખનું ઈનામ; 4 લોકોને ફાંસી આપ્યા બાદ હિટ લિસ્ટમાં હતો

Karnavati 24 News

ચલાલા ટાઉનમાં આવેલ એગોની દુકાનમાંથી ધોળા દિવસે રોકડ રકમની ચોરી કરી નાસી જનાર બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Admin

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

 દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર આવ્યો ચકચારી બનાવ

Karnavati 24 News

फ़िरोज़पुर में एक विवाह समरोह के चलते पैलेस में हुई मामूली झड़प में एक व्यक्ति की तेज़धार हथियारों से हमला करके की गई हत्या

Admin