Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અમરેલીમાં ન્યાય મંદિર ખાતે અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું જિલ્લા કક્ષાના નેશનલ મેગા લોક અદાલત સંપન્ન

નેશનલ લોક અદાલતમાં ૪,૨૮૨ કેસ ફેસલ થયા જે પૈકીના ૧,૬૫૬ પ્રિ-લીટીગેશનના કેસો ફેસલ થયા
પ્રિ-લીટેગેશનમાં રુ. ૩૫,૬૦,૦૭૮ અને સ્પેશિયલ સીટીંગ નીચે ક્લેઈમના કેસો તથા બીજા કેસો મળીને રુ.૪,૯૫,૯૭,૭૮૩ની માતબર રકમનનું ચૂકવણું થયું

અમરેલી જિલ્લામાં ગત તા.૧૩ ઓગસ્ટના રોજ ન્યાય મંદિર ખાતે અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી આર.ટી.વચ્છાણીના વડપણ નીચે યોજાયેલી નેશનલ મેગા લોક અદાલતમાં કુલ ૪,૨૮૨ કેસ ફેસલ થયા હતા. આ પૈકીના ૧,૬૫૬ -લીટીગેશનના કેસો ફેસલ થયા થયા હતા.  આ નેશનલ મેગા લોક અદાલતમાં એક જ દિવસ પ્રિ-લીટેગેશનમાં રુ.૩૫,૬૦,૦૭૮ અને સ્પેશિયલ સીટીંગ નીચે ક્લેઈમના કેસો તથા બીજા કેસો મળીને રુ.૪,૯૫,૯૭,૭૮૩ની માતબર રકમનનું ચૂકવણું થયું હતું. આ નેશનલ મેગા લોક અદાલતને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજશ્રી આર.ટી. વાછાણીના માર્ગદર્શન નીચે જિલ્લાના તમામ જ્યુડીશીયલ અધિકારીશ્રીઓતમામ ન્યાયાધીશશ્રીઓ અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રીએ તમામ ન્યાયાશ્રીશશ્રીઓઅમરેલી જિલ્લા વકીલ મંડળવકીલશ્રીઓ સાથે સંક્લન સાધ્યું હતું એમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.પી. દેવેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

 પાટણની રાજનગરી સોસાયટીના રહીશને રખડતા ઢોરે હડફેટે લેતા હાથે ફ્રેક્ચર થયું

Karnavati 24 News

નશાખોરો સામે પોલીસની લાલ આંખ:ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણી પર રોક લગાવવા રાત્રે પોલીસ એક્શન મોડમાં આવશે, નશાખોરોને પકડવા સઘન ચેકીંગ

Karnavati 24 News

દાહોદ તાલુકાના જેકોટ છાયનઘાટી ફળિયામાંથી સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઇસમની tvs અપાચીની રાત્રિના સમયે ઘર આગળથી પાર્ક કરેલી જગ્યા ઉપરથી ચોરી થતાં સિવિલ એન્જિનિયર દ્વારા એ એફઆઇઆર થકી દાહોદ રૂલર પોલી

શંખેશ્વરની મહિલા ના બીજા પતિએ મહિલાને ઢોર મારી દિવાલે માથુ પછાડ્યું,ઘરસંસાર ટકાવી રાખવા દોઢ વર્ષ ત્રાસ સહન કર્યો

Karnavati 24 News

 જામનગર તાલુકાના મૂંગણી ગામમાં એક યુવાનનું બાઈક સળગાવાયું: ગામના જ એક શખ્સ સામે ફરિયાદ

Karnavati 24 News

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News