Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

નારગોલ ગ્રામ પંચાયતનો અનોખો નિર્ણય: નવા બનેલા મકાનમાં શૌચાલય છે કે કેમ તેની ખાતરી બાદ પંચાયતમાં મકાન નોંધણી કરવામાં આવશે

ઉમરગામ તાલુકાની નારગોલ ગ્રામ પંચાયત હર હંમેશ રચનાત્મક નિર્ણય લેવાના કારણે દેશભરની પંચાયતો માટે ઉદાહરણ પૂરી પાડવામાં આવ્યુ છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીના પરિણામ બાદ પંચાયતની મળેલી પ્રથમ સામાન્ય સભામાં સરપંચ સ્વીટીબેન વાય. ભંડારીના પ્રમુખપણાં હેઠળ કેટલાક મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં આજદિન સુધી ગુજરાત સહિત દેશભરની ગ્રામપંચાયતમાં ક્યારે ન કરવામાં આવ્યો હોય એવો ઠરાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સમર્થન આપતો ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવમાં “ગ્રામ પંચાયત ખાતે નવા મકાનની આકારણી કરતા સમયે નવા મકાનમાં શૌચાલયની સુવિધા છે કે કેમ તેની ખાત્રી કર્યા બાદ નવા મકાનની આકારણી કરવામાં આવશે”.તે ઉપરાંત નારગોલ વિસ્તારમાં ૨૦ માઇક્રોન્સથી ઓછી ધરાવતી પોલીથીનની થેલી પર પ્રતિબંધ મૂકવો અને વાપરનારાઓ સામે દંડ કરવો, રખડતા ઢોર માલિકો સામે દંડની કાર્યવાહી કરવી જેવા અનેક મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા. વર્ષ 2008માં ગ્રામ પંચાયત નારગોલને નિર્મળ ગ્રામ પુરસ્કાર તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલના વરદહસ્તે હરિયાણાના હિસાર શહેર ખાતે પ્રાપ્ત થયો હતો. પંચાયતના આ ઠરાવની ચર્ચા થઇ રહી છે.

संबंधित पोस्ट

સીએમ ગેહલોતના ભાઈ પર બે વર્ષમાં બીજો દરોડોઃ અગ્રસેન ગેહલોત પર સીબીઆઈના દરોડા, 2020માં EDએ પણ કાર્યવાહી કરી

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: PM મોદીને ગુજરાત ચૂંટણીમાં બાટલા હાઉસ યાદ આવ્યું, આતંકવાદ પર કોંગ્રેસને ઘેરી

Admin

૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં માટે રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

Admin

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin
Translate »