Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા

 આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.
 રાજભા ઝાલાએ આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, દિલ્હીથી સંદિપ પાઠકે આપ પાર્ટીના સંગઠનનું ફેરવી નાખ્યું. પાર્ટીના કાર્યકરોએ મહેનત કરી તેમને બહાર કર્યા. આમ આદમી પાર્ટીમાં કાર્યકરો આજે ઘણા નારાજ છે. પાર્ટીના કાર્યકરોની રજૂઆત કોઇ મોટા આગેવાન સાંભળતા જ નથી. પાર્ટીમાં ટોચના નેતાઓ તેમની વિઘાનસભામાં જ કામ કરી રહ્યા છે. શ્રી રાજુભાઇ ઝાલાએ સંદિપ પાઠક પર આક્ષેપ કરતા જણાવ્યું કે આપ પાર્ટીના દિલ્હીના નેતા સંદિપ પાઠકે કાર્યકરોને વચન આપ્યું હતું કે જે સૌથી વઘુ ગેરેંટી કાર્ડ વહેચે તેને ટીકિટ આપવામાં આવશે પણ તેવું કોઇ વચન પુરુ કર્યુ નથી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મીડિયાના સહ પ્રવકતઓ ભરતભાઇ ડાંગર, હિતેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મીડિયાના સહ કન્વીનર ઝુબિનભાઇ આશરા સહિતના પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ નેતૃત્વમાં દેશમાં વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતી ભાજપ પાર્ટી કરી રહી છે જેનાથી પ્રેરાઇ દેશની અને ગુજરાતની જનતાની સેવા કરવા વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા છે. રાજભા ઝાલા આપ પાર્ટીના વિવિધ હોદ્દેદાર અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.

संबंधित पोस्ट

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

ગારીયાધાર કોંગ્રેસ પક્ષ દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઇ

Admin

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News

ભારત જોડો યાત્રાને અધવચ્ચે છોડીને ED સમક્ષ હાજર થયા ડીકે શિવકુમાર, નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ

ગુજરાતના રાજકારણમા મોટા સમાચાર, અલ્પેશ કથિરીયા-ધાર્મિક માલવિયા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

Karnavati 24 News

રાષ્ટ્રપતિ પદના NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મળ્યું વધુ એક પક્ષનું સમર્થન

Karnavati 24 News