Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

 

 

વાંકાનેર માર્કેટ યાર્ડની મતગણતરી થયા બાદ યાર્ડની સત્તા કોણ સંભાળશે તે અંગે સસ્પેન્શ જોવા મળ્યું હતું અને ૩૧ મત અંગે હાઈકોર્ટનાં આદેશ બાદ જ તેની ગણતરી થઇ શકે જેથી યાર્ડની સત્તાનું સુકાન કોના હાથમાં જશે તે નક્કી થયું ન હતું તો ગત ૧૮ ના રોજ હાઈકોર્ટની મુદત હોય દરમિયાન વધુ એક મુદત પડી છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ ચુંટણીમાં ભાજપે પોતાની મજબુર પેનલ ઉતારીને જોરદાર ઠક્કર આપી હતી. ગત તા. ૧૨ ના રોજ મતગણતરી યોજાઈ હતી ત્યારથી બંને પક્ષના ઉમેદવારો વચ્ચે અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા હતા અને મતગણતરીમાં ખરીદ વેચાણ સંધ અને વેપારી પેનલ પર કોંગ્રેસ પ્રેરિત પીરજાદા પેનલનો વિજય થયો હતો તો ખેડૂત પેનલમાં દસ ઉમેદવારો માટે થઈને બંને પક્ષના ૧૦-૧૦ સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર આમ કુલ ૨૧ ઉમેદવારો ચૂંટણીના જંગમાં જેની મત ગણતરી પૂર્ણ કરવામાં આવી હતી તો ચૂંટણી પહેલા હાઇકોર્ટની અંદર મતદારોને લઈને પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશન ત્રણ મંડળીઓના કુલ ૩૧ મતોને અનામત રાખવામાં આવેલા આવ્યા હતા. જે મામલે ગત તા. ૧૮ ના રોજ હાઈકોર્ટમાં મુદત હતી જો કે હાઈકોર્ટ દ્વારા વધુ એક મુદત આપવામાં આવી છે અને આગમી તા. ૨૫ ના રોજ મુદત પડી છે તેમજ વાંકાનેર માર્કેટીગ યાર્ડની સત્તામાં પરિવર્તન થશે તે જેશે થે જ રહેશે તે તા.૨૫ બાદ જાણી શકાશે

 

संबंधित पोस्ट

એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો,વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા

Admin

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું, આ છે તૈયારીઓ

Admin

ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી

ચૂંટણીનું મનદુઃખ રાખીને એક ટોળાએ ઘરમાં ઘૂસીને દલિત પરિવારને અપમાનિત કરીને માર માર્યો

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News