Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ માં શાળા સંચાલકો બન્યા બેફામ,ગાઈડ લાઇન ની કરી ઐસીતેસી

એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોના ના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે,ભરૂચ જિલ્લામાં પણ કોરોના ના કેસો હવે ૨૦૦ ને પાર નોંધાઇ રહ્યા છે,તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઇન બાહર પાડી સંક્રમણ ને અટકાવવા માટે રાત દિવસઃ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ની એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે

આ વચ્ચે સરકાર ના તમામ નીતિ નિયમોને નેવે મૂકી ભરૂચ ના શેરપુરા સ્થિતિ બ્રાઇટ એન્જલ સ્કૂલમાં ભુલકાઓને અભ્યાસ માટે બોલાવાયા હતા,જ્યાં બાળકો માટે માસ્કની તકેદારી પણ ન રખાઈ હોય તેવા દ્રશ્યો વહેતા થતા જ તંત્ર દોડતું થયું હતું અને મામલે તપાસ ના આદેશો આપવામાં આવ્યા હતા,મહત્વની બાબત છે કે કોરોના સંક્રમણ વચ્ચે સરકારે વિવિધ પ્રકારના નિયંત્રણ મુક્યા છે,જેમાં ૩૧ જાન્યુઆરી સુધી શાળામાં બાળકોને નહીબોલાવવાની સૂચનાઓની પણ ભરૂચ ની આ શાળાએ ઐસીતૈસી કરી હોવાની વિગતો સામે આવી છે,

ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે ભરૂચમાં સરેરાશ દરરોજ 200 થી વધુ કોરોના કેસ નોંધાઈ રહયા છે તેવામાં જો આ બાળકોમાં સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ તે બાબત હાલ સમગ્ર ઘટના ક્રમ બાદ થી ટોક ઓફ ધી ટાઉન બની છે

संबंधित पोस्ट

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

પાટણ ની ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં અભિજ્ઞાન શાંકુન્તલ પુસ્તક વિશે પ્રવચન યોજાયું

Admin

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ

Admin