Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

માતાજીની માનતા પુરી કરી પરત ફરેલા લોકોને નડ્યો અકસ્માત,ધારીના ધારગણી નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 1 નું મોત : 5 લોકોને નાની-મોટી ઇજા

ધારી તાલુકાના ધારગણી ગામ નજીકની ગોળાઇમાં ફોરવહીલ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 1 વ્યક્તિનું ઘટનામાં મોત નીપજ્યું હતું જયારે 4 જેટલા લોકોને ઇજાઓ થતા 108 દ્વારા સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા રાજુલાના ડોળીયા ગામેથી માતાજીની માનતા પુરી કરીને બગસરાના હામાપુર ગામે પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો આ ઘટનામાં 22 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજતા નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
સમગ્ર વિગત જોઈએ તો બગસરા તાલુકાના હામપુર ગામના મિત્રોનું ગ્રુપ મકરસંક્રાતિના દિવસે હામાપુરથી રાજુલાના ડોળીયા ગામે આવેલા માતાજીના મંદિર ખાતે માનતા પુરી કરવા માટે ગયા હતા અને માનતા પુરી કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ડોળીયાથી ખાંભા તરફ આવતા ધારીના ધારગણી ગામ નજીક આવેલા વળાંકમાં રોડ સાઈડ પર પડેલા લાકડા સાથે આરોપી ધવલભાઈ બટુકભાઈ ભેસાણિયાએ કાર બેફિકરાઈથી ચલાવીને ગાડી ડાઇવર સાઇડથી રોન્ગ સાઈડમાં ઉતારી દઈ અને ઝાડ સાથે અથડાવી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો
આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય આશાસ્પદ હિતેષભાઇ કાળુભાઇ પરમારનું મોત નીપજ્યું હતું તો અન્ય 5 વ્યક્તિઓને પણ નાની-મોટી ઇજાઓ થવા પામી હતી આ અંગે ચલાલા પોલીસ મથક ખાતે ગાડી ચલાવનાર શખ્સ ધવલભાઈ બટુકભાઈ ભેસાણિયા સામેં હાર્દિક રસિકભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી.

संबंधित पोस्ट

સરકારી નોકરી: પશ્ચિમ ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 400 જગ્યાઓ માટે ભરતી, 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે

Karnavati 24 News

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

Karnavati 24 News

તમારું પણ આ બેન્કમાં ખાતું હોય તો થઇ જાઓ સાવધાન, 22 સપ્ટેમ્બરથી બેન્કને લાગી જશે તાળા, RBIએ લાઇસન્સ રદ્દ કર્યું

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

પંજાબ સરકારના આરોગ્ય મંત્રીની ધરપકડઃ CM માનને થોડા સમય પહેલા બરતરફ કર્યા હતા, ટેન્ડર અને હોર્સ ટ્રેડિંગમાં 1% કમિશનનો આરોપ હતો

Karnavati 24 News

મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી

Karnavati 24 News