Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

માતાજીની માનતા પુરી કરી પરત ફરેલા લોકોને નડ્યો અકસ્માત,ધારીના ધારગણી નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 1 નું મોત : 5 લોકોને નાની-મોટી ઇજા

ધારી તાલુકાના ધારગણી ગામ નજીકની ગોળાઇમાં ફોરવહીલ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 1 વ્યક્તિનું ઘટનામાં મોત નીપજ્યું હતું જયારે 4 જેટલા લોકોને ઇજાઓ થતા 108 દ્વારા સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા રાજુલાના ડોળીયા ગામેથી માતાજીની માનતા પુરી કરીને બગસરાના હામાપુર ગામે પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો આ ઘટનામાં 22 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજતા નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
સમગ્ર વિગત જોઈએ તો બગસરા તાલુકાના હામપુર ગામના મિત્રોનું ગ્રુપ મકરસંક્રાતિના દિવસે હામાપુરથી રાજુલાના ડોળીયા ગામે આવેલા માતાજીના મંદિર ખાતે માનતા પુરી કરવા માટે ગયા હતા અને માનતા પુરી કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ડોળીયાથી ખાંભા તરફ આવતા ધારીના ધારગણી ગામ નજીક આવેલા વળાંકમાં રોડ સાઈડ પર પડેલા લાકડા સાથે આરોપી ધવલભાઈ બટુકભાઈ ભેસાણિયાએ કાર બેફિકરાઈથી ચલાવીને ગાડી ડાઇવર સાઇડથી રોન્ગ સાઈડમાં ઉતારી દઈ અને ઝાડ સાથે અથડાવી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો
આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય આશાસ્પદ હિતેષભાઇ કાળુભાઇ પરમારનું મોત નીપજ્યું હતું તો અન્ય 5 વ્યક્તિઓને પણ નાની-મોટી ઇજાઓ થવા પામી હતી આ અંગે ચલાલા પોલીસ મથક ખાતે ગાડી ચલાવનાર શખ્સ ધવલભાઈ બટુકભાઈ ભેસાણિયા સામેં હાર્દિક રસિકભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી.

संबंधित पोस्ट

અમદાવાદ માં કોરોના ના કેસ સતત વધી રહ્યાં છે.

Karnavati 24 News

સુરત: યૂ ટ્યુબ ફેમ ખજૂરભાઈના ઘરે તસ્કરો ત્રાટકયા,તાઉતે વાવાઝોડા દરમિયાન અનેક લોકોની મદદ કરનારા નીતિન જાનીના ઘરે તસ્કરોએ કરી ચોરી

Karnavati 24 News

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગુ થયા પહેલા ૩૮ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની અન્ય સ્થળે રાજ્યમાં બદલી

Karnavati 24 News

નંબર પ્લેટ વગરના, લખાણ વાડી નંબર પ્લેટ વિરુઘ્ધ રાજકોટ પોલીસની ડ્રાઇવ: ૯૧ કેસ કરી રૂ.૩૮૬૦૦નો દંડ વસૂલાયો

Karnavati 24 News

ICG ફોરમેન ભરતી 2022 , ભારતીય કોસ્ટ ગાર્ડ ફોરમેન પોસ્ટ માટે ભરતી

Karnavati 24 News

શહેરમાં (Surat ) કોરોનાના નવા વેરિયન્ટ XEને લઈને સુરત મહાનગર પાલિકા (SMC) એલર્ટ થઈ ગઈ છે. જો કે, નવા વેરિયન્ટનો (Variant ) એકપણ દર્દી મળ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિશનરનું કહેવું છે કે જો

Karnavati 24 News