Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વડોદરા એમએસ યુનિવર્સિટીના વિવાદ બાદ નવેસરથી ડાયરી છપાશે, અગાઉ થયો હતો વિરોધ

વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ડાયરીનો વિવાદ થયો હતો. વિવાદિત ડાયરીમાં જરૂરી સુધારા કર્યા બાદ ફરીથી છાપવામાં આવશે. અગાઉ 2023ની ડાયરી જે છપાઈ હતી તેમાં રાષ્ટ્રીય ગીતની બાદબાકી કરવામાં આવી છે જેથી હવેથી નવેસરથી ડાયરી છપાશે. ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલરોના ફોટો પેજ ઉમેરવામાં આવશે.

આ વખતે જે નવેસરથી ડાયરી છાપવામાં આવશે તેમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને પૂર્વ કુલપતિઓ જે એમએસમાં રહી ચૂક્યા છે તેમના ફોટાઓનું પેજ પણ ઉમેરવામાં આવશે. અગાઉ આ ડાયરીના વિવાદને લઈને એમએસ યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો. જેમાં આ વિવાદીત ડાયરીને પાછી લઈને નવેસરથી ડાયરી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ હશે નવી ડાયરીમાં વિગતો 
ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલરોના ફોટો પેજ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ડાયરીમાં પ્રોફેસરો અને પ્રોફેસરોના નામ અને નંબર પણ ઉમેરવામાં આવશે અને ડાયરીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો મોટો ફોટો છાપવામાં આવશે.

આ કારણે થયો હતો હોબાળો
વડોદરાની એમએસ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે અગાઉ એમએસ યુનિવર્સિટીની વર્ષ 2022ની ડાયરીમાં પેજ નંબર 8 પર વંદે માતરમ ગીતનો ઉલ્લેખ હતો તેની જગ્યાએ 2023ની ડાયરીમાં વંદે માતરમ સાથે પ્રથમ 17 પૂર્વ વાઇસ ચાન્સેલરના ફોટા હટાવવામાં આવ્યા નહો જેની જગ્યાએ વર્તમાન કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો પેજ નંબર 7 પર મુકવામાં આવ્યો છે. આ અંગે એમ.એસ.યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો.

વડોદરા યુનિવર્સિટીમાં કોઈને કોઈ વાતને લઈને સતત વિવાદ સામે આવતો રહે છે અગાઉ કેલેન્ડરને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો આ ઉપરાંત નમાજ પઢવાનો અગાઉ વીડિયો વાયરલ થયો હતો તેમાં પણ વિવાદ સામે આવ્યો હતો ત્યારે ડાયરીનો વિવાદ પણ છેલ્લા ત્રણ દિવસથી સામે આવ્યો હતો આખરે આ ડાયરી નવેસરથી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

1 જાન્યુઆરીથી થશે આ મોટા બદલાવ, ATMમાંથી કેસ કાઢવાથી લઇને કપડા ખરીદવાનું થશે મોંઘુ

Karnavati 24 News

પીએમ બનાસકાંઠામાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરતા વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે, લોકો સભા સ્થળ પર પહોંચ્યા

Admin

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા મસમોટો ભુવો

Karnavati 24 News

વિવિધતામાં એકતાનું અલૌકિક સ્વરૂપ રજૂ કરતો ૭૫મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ કાર્યક્રમ યોજાશે

Admin

જહાંગીરપુરી હિંસા : પોલીસે એક જ પરિવારના 5 સભ્યો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરી

Karnavati 24 News

આવતા મહિને ખેડૂતોને આપવામાં આવશે બે હજારની સહાય આપશે .

Karnavati 24 News