Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સાઈબર ફ્રોડની માહિતી આપનારને રોકડમાં ઈનામ આપવામાં આવશે, માહિતી આપનારાનું નામ પણ ગુપ્ત રખાશે

સાઈબર ક્રાઈમના વિવિધ પ્રકારના ગુનાના વધતા જતા પ્રમાણને ધ્યાને લઈને પોલીસે હવે નાગરિકોને પણ આ કામમાં સામેલ કરી સાયબર ક્રાઈમને લગતી માહિતી પૂરી પાડવામાં આવે તો ગુનાના પ્રકાર અનુસાર લોકોને રોકડ પુરસ્કાર આપવાની યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
સાઈબર ક્રાઈમ આજના સમયમાં સૌથી વધુ ઝડપથી વધી રહેલી ગુનાખોરીમાં સામેલ છે. મોટાભાગના નાગરિકો ખરીદી કે નાણાકીય વ્યવહાર ઓનલાઈન કરતા હોઈ સાઈબર માફીયા તેનો લાભ લઈને લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરે છે. બીજી બાજુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટનો ફેલાવો, કોલ સેન્ટર હેકિંગ કરી ખંડણીના ગંભીર ગુના દિનપ્રતિદિન વધી રહ્યા છે. પહેલાંના સમયમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સ્થાનિક લેવલે બાતમીદારોનું નેટવર્ક ઉભું કરતી, જેની બાતમીના આધારે કામગીરી સરળ બની રહેતી અને ગુનેગારો સુધી પોલીસ ઝડપથી પહોંચી શકી હતી.
સાઈબર માફીયાને પકડવા એટલા સરળ નથી કેમકે આ વર્ચ્યુઅલ નેટવર્કમાં કોણ ક્યાંથી શું કરે છે? તેની બાતમી મળવી મુશ્કેલ છે. આ દિશામાં કોઈ એવી કામગીરી કરતું હોય તો તેની બાતમી મળે તો પોલીસ કામગીરી કરી શકે તેવા આશયથી અમદાવાદ પોલીસે સાઈબર ક્રાઈમની બાતમી નાગરિકો આપે તો રોકડ પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.

संबंधित पोस्ट

કુકાવાવ-વડીયા તાલુકા ના જીથુડી ગામે સરકારશ્રી,દ્રારા શાળા પ્રવેશ ઉત્સવ યોજાયલો

Karnavati 24 News

Dr Ambedkar Jayanti : આંબેડકર ફેમિલીની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે?

Karnavati 24 News

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ તરીકે ની બેવડી જવાબદારી સંભાળી

Admin

UPSC પ્રિલિમ્સ પરિણામ 2022: UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સમાં સફળ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી, દર્શન કુમાર પટેલ ટોપ પર

Karnavati 24 News

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

Karnavati 24 News

વલસાડ કસ્તુરબા હોસ્પિટલના કર્મચારીએ દર્દીના હાથમાંથી સોનાની બંગડી સેરવી લીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Karnavati 24 News
Translate »