Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સિહોરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ગરમીમાં શેકાયા, લોકો પરેશાન

સિહોર જિલ્લા અને શહેરમાં ગરમીનો પારો ઉંચકાતા શહેરીજનો પરેશાન થયા હતા. ભાવનગરના સિહોરમાં  વાદળો દુર થતા શહેરમાં 40.5 ડિગ્રીએ કાળઝાળ ગરમી, શહેરમાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ગયું હતુ.

છેલ્લા કેટલાક સમયમાં હવામાનમાં પલટો આવતા ખેડૂતો પરેશાન થયા હતા અને પોતાના પાકને નુકસાન જવાની ભીતી સેવાઇ રહી હતી. જોકે, ગરમીનો પારો ફરી ઉચકાતા અને હવામાન ખુલ્લુ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગોહિલવાડના ખેડૂતો ચિંતામુક્ત, હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 12% સિહોર શહેર અને જિલ્લામાં આજથી માવઠાનો ભય ટળી ગયો અને વાદળો હટીને વાતાવરણ ચોખ્ખું થઇ જતા બપોરે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા નગરજનોએ આજે પુન: ચૈત્રમાં વૈશાખી તાપનો અનુભવ કર્યો હતો.

ગરમી વધતા વધુ એક મુસીબત લોકોને થઇ હતી અને ગરમીથી લોકો પરેશાન થયા હતા. ઠેર ઠેર ઠંડા પીણાની દુકાનો પર લોકોની લાઇન જોવા મળી હતી અને શેરડી તેમજ ઠંડા પીણા પર લોકોએ વધુ નિર્ભર રહેવુ પડ્યુ હતુ. ભાવનગરમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા છે જેને કારણે સાવચેત રહેવુ પડશે.

संबंधित पोस्ट

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

Admin

વિવિધતામાં એકતાનું અલૌકિક સ્વરૂપ રજૂ કરતો ૭૫મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ કાર્યક્રમ યોજાશે

Admin

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

Karnavati 24 News

કચ્છ માંડવી ખાતે ના મહિલા પત્રકાર/એંકર સાથે આપ ના કાર્યકરો દ્વારા થયેલ અપમાન દેશ ની ચોથી જાગીર અને પત્રકાર જગત ક્યારેય નહિ સાંખીલે…

Karnavati 24 News

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

Karnavati 24 News

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ; લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત

Admin
Translate »