સિહોર જિલ્લા અને શહેરમાં ગરમીનો પારો ઉંચકાતા શહેરીજનો પરેશાન થયા હતા. ભાવનગરના સિહોરમાં વાદળો દુર થતા શહેરમાં 40.5 ડિગ્રીએ કાળઝાળ ગરમી, શહેરમાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ગયું હતુ.
છેલ્લા કેટલાક સમયમાં હવામાનમાં પલટો આવતા ખેડૂતો પરેશાન થયા હતા અને પોતાના પાકને નુકસાન જવાની ભીતી સેવાઇ રહી હતી. જોકે, ગરમીનો પારો ફરી ઉચકાતા અને હવામાન ખુલ્લુ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગોહિલવાડના ખેડૂતો ચિંતામુક્ત, હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 12% સિહોર શહેર અને જિલ્લામાં આજથી માવઠાનો ભય ટળી ગયો અને વાદળો હટીને વાતાવરણ ચોખ્ખું થઇ જતા બપોરે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા નગરજનોએ આજે પુન: ચૈત્રમાં વૈશાખી તાપનો અનુભવ કર્યો હતો.
ગરમી વધતા વધુ એક મુસીબત લોકોને થઇ હતી અને ગરમીથી લોકો પરેશાન થયા હતા. ઠેર ઠેર ઠંડા પીણાની દુકાનો પર લોકોની લાઇન જોવા મળી હતી અને શેરડી તેમજ ઠંડા પીણા પર લોકોએ વધુ નિર્ભર રહેવુ પડ્યુ હતુ. ભાવનગરમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા છે જેને કારણે સાવચેત રહેવુ પડશે.