Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોસ્થાનિક સમાચાર

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

જામનગરમાં રણમલ તળાવમાં કુદકો લગાવતા જ એક પોલીસકર્મીએ પળનો વિચાર કર્યા વગર જ કુદકો મારી તેણીનો જીવ બચાવી લીધો હતો. હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા પ્રૌઢ મહિલાએ કયા કારણોસર કુદકો લગાવ્યો એ કારણ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસકર્મીની બહાદુરીને પરિણામે મહિલાનો જીવ બચી ગયો છે. આ બનાવની વિગત મુજબ શહેરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા કોઈ રીતે પડી ગયા હતા. આ ઘટના સમયે દિગ્વિજય પ્લોટ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ગઢવીએ નજરે જોઈ હતી. જેને લઈને તેઓએ એક પલનો પણ વિચાર કાર્ય વિના જ હિમત દાખવી પાણીમાં કુદકો લગાવ્યો હતો અને અર્ધ બેસુધ્ધ થઇ ગયેલ તેણીએ ખેચીને બહાર લાવ્યા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેેડને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયરનો કાફલો તથા 108 ઘટના સ્થળે ધસી ગયા હતા. ફાયરના જવાનોએ તે મહિલાને ચકાસતા તેઓ જીવિત જણાઈ આવતા 108 મારફતે આ મહિલાને જી. જી.માં સારવારમાં મોકલવામાં આવ્યા છે.પોલીસની તપાસમાં મહિલાનું નામ જયશ્રીબેન વિનુભાઇ ચાંદ્રા અને હિરજી મિસ્ત્રી રોડ પર રહેતી હોવાનું ખુલ્યું હતું. જોકે તેણીનું પાણીમાં પડવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

संबंधित पोस्ट

સુરત ના ભાઠેના ખાતે વેપારીના મકાનમાંથી 1.95 લાખની ચોરી ની ઘટના બની

Karnavati 24 News

ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત કરાયું

Karnavati 24 News

વલસાડ: ભિલાડ ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂની 1760 બોટલ સાથે 2 પકડાયા, મંગાવનાર વોન્ટેડ જાહેર

Admin

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ, એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ

Karnavati 24 News

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News

મધ્યપ્રદેશથી અફીણ લઇને આવેલો કેરિયર ઝડપાયો, પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો

Gujarat Desk
Translate »