Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોસ્થાનિક સમાચાર

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

જામનગરમાં રણમલ તળાવમાં કુદકો લગાવતા જ એક પોલીસકર્મીએ પળનો વિચાર કર્યા વગર જ કુદકો મારી તેણીનો જીવ બચાવી લીધો હતો. હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા પ્રૌઢ મહિલાએ કયા કારણોસર કુદકો લગાવ્યો એ કારણ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસકર્મીની બહાદુરીને પરિણામે મહિલાનો જીવ બચી ગયો છે. આ બનાવની વિગત મુજબ શહેરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા કોઈ રીતે પડી ગયા હતા. આ ઘટના સમયે દિગ્વિજય પ્લોટ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ગઢવીએ નજરે જોઈ હતી. જેને લઈને તેઓએ એક પલનો પણ વિચાર કાર્ય વિના જ હિમત દાખવી પાણીમાં કુદકો લગાવ્યો હતો અને અર્ધ બેસુધ્ધ થઇ ગયેલ તેણીએ ખેચીને બહાર લાવ્યા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેેડને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયરનો કાફલો તથા 108 ઘટના સ્થળે ધસી ગયા હતા. ફાયરના જવાનોએ તે મહિલાને ચકાસતા તેઓ જીવિત જણાઈ આવતા 108 મારફતે આ મહિલાને જી. જી.માં સારવારમાં મોકલવામાં આવ્યા છે.પોલીસની તપાસમાં મહિલાનું નામ જયશ્રીબેન વિનુભાઇ ચાંદ્રા અને હિરજી મિસ્ત્રી રોડ પર રહેતી હોવાનું ખુલ્યું હતું. જોકે તેણીનું પાણીમાં પડવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

संबंधित पोस्ट

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું… ટીંબી ગ્રામજનોએ એસટી વિભાગને અવારનવાર રજૂઆત કરતા એસ.ટી.બસ ગામની અંદર થી ન ચાલતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું…

Karnavati 24 News

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin

ये पुलिस स्टेशन है… तुम्हारा घर नहीं…સાઠંબા પોલિસ સ્ટેશનમાં બાઇક ચોરને માર મારનાર 6 ઝડપાયા, PSO અને PSI સામે તપાસના આદેશ

Karnavati 24 News

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરાઈ

Karnavati 24 News