Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ, એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ

ભરૂચ:નર્મદા નદી માંથી એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ,નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ..!!

ભરૂચ,અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,નર્મદા મૈયા બ્રિજ પર થી મોત ની છલાંગ લગાવી આત્મહત્યા કરવાના બનાવો ફરી એક વાર સામે આવી રહ્યા છે,જેમાં આજે સવારે એક સાથે બે જેટલા મૃતદેહ નર્મદા નદી માંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી,

બનાવ અંગે ની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ના અંદાડા ગામ ખાતે રહેતો ૨૮ વર્ષીય સંતોષ મીઠા ભાઈ મકવાણા ગત તારીખ ૨૮ મીના રોજ ઘરે થી રાત્રીના સમયે કોઈ કારણસર નીકળી ગયો હતો અને નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી પરિવાર જનોને ફોન કરી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તેમ જણાવી ફોન કટ કરી વોટ્સએપ ઉપર પરિવાર ને છેલ્લો ફોટો મોકલી નર્મદા નદીમાં મોત ની છલાંગ લગાવી હતી,જે બાદ પરિવાર જનોએ નર્મદા મૈયા બ્રિજ ખાતે દોડી આવી તેની શોધખોળ હાથ ધરી હતી,જોકે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો,

તો બીજી તરફ અંકલેશ્વર ના ત્યાગી નગર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય રાજેન્દ્ર ભાઈ છગન ભાઈ પરમાર નાઓએ પણ કોઈ કારણસર ગત રોજ નર્મદા મૈયા બ્રિજ ઉપર થી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી,જે બાદ અંકલેશ્વર નગર પાલિકા ના ફાયર લાશકરોએ નર્મદા નદીમાં નાવડા ની મદદ થી મૃતકોની શોધખોળ હાથધરી હતી, ફાયર ના લાશકરોએ કરેલ શોધ ખોળ માં બંને મૃતકો બ્રિજ ની આસપાસ થી જ મળી આવ્યા હતા,એક સાથે બંને મૃતકોને નદી ની બાહર કાઢવામાં આવતા ઉપસ્થિત લોકોમાં ભારે ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો,

ત્યારે મામલા અંગેની જાણ પોલીસ વિભાગ માં કરતા પોલીસે બંને મૃતકો ની લાશનો કબ્જો લઈ તેઓને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી,

संबंधित पोस्ट

પોતાનીજ પત્નીના ચારિત્ર પર શંકા રાખી લાઠીમાં પતિએ કરી હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

Gujarat Desk

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે શહેરની મુલાકાત પ્રભારી ઋષિકેશ પટેલે લઈ સમીક્ષા કરી

Karnavati 24 News

UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડથી સન્માનિત ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025

Gujarat Desk

કોંગ્રેસે એક એવો શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપામાં છે અને બીજો ભાજપમાં: આલોક મિશ્રા

Gujarat Desk

ગુજરાતમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

Gujarat Desk

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જૂનાગઢમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું નેતૃત્વ કર્યુ

Gujarat Desk
Translate »