Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

આનંદી સંસ્થા અને માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા માળીયા મેઈન ચોરાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માળીયા તાલુકા અને નગર પાલિકા તેમજ વાંઢ વિસ્તારમાં વર્ષો જુના પ્રશ્નો વિષે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી

માળિયા મહિલા સંગઠન દ્વારા આવેદન પાઠવીને વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી જે નીચે મુજબ છે

1)માળીયા મેન બજાર માં ખુલી ગટરો ના કારણે બીમારી નું પ્રમાણ વધે છે. જે ખુલી ગટરો બંધ કરવા  માંગ

2) વંચિત સમુદાય ના કુટુંબો ને BPL યાદી માં સમાવેશ.

3) નગર પાલિકા ની વાંઢ વિસ્તાર માં વર્ષો સુધી આંગણવાડી નથી જ્યાં બાળકોના પોષણ અને શિક્ષણ ને ધ્યાનમાં રાખી મીની આંગણવાડી ની માંગ

4) જ્યાં આંગણવાડી છે ત્યાં આંગણવાડી ના મકાનો નથી તેની માંગ.

5) વાંઢ વિસ્તાર માં આ 21 સદીમાં લોકો હજુ પણ અંધકાર માં જીવે છે ત્યાં લાઈટ ની સુવિધા ની માંગ.

6) સસ્તા અનાજ ની દુકાન માંથી પૂરતું, ચોખ્ખું, અને બિલ મળવા ની માંગ

7) વિધવા, એકલ, વિકલાંગ વ્યક્તિને અંત્યોદય રાશન કાર્ડ ની માંગ

8) શાળાઓ માં છોકરા છોકરીયો માટે ટોયલેટ બાથરૂમ ની અલગ સુવિધાઓ,

તે ઉપરાંત રેલી બાદ માળિયા તાલુકાના નવા ચૂંટાયેલા મહિલા સરપંચનું સન્માન આનંદી સંસ્થા અને સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું માળીયા મહિલા શક્તિ સંગઠનના જે જુના અનુભવી આગેવાન બહેનો જેના દ્વારા 15 વર્ષ થી અન્ન સુરક્ષા, આજીવિકા, આરોગ્ય અને પોષણ,  કામના અધિકાર ને લઇને લડતો કરેલ તેની સંઘર્ષની ગાથા આગેવાન બહેનો દ્વારા રજુ કરવામાં આવી હતી

 

संबंधित पोस्ट

મિશન સૌરાષ્ટ્રને લઈને કેજરીવાલનો ફરી કાઠીયાવાડનો પ્રવાસ, બીજેપી-કોંગ્રેસની ચિંતા વધારી શકે છે

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

Admin

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

સૈનિકને માર મારનાર અને યુનિફોર્મ ફાડવાના આરોપીની ધરપકડ કરી

Karnavati 24 News

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

Karnavati 24 News

વડોદરા ના ડેસર તાલુકા માં :સર્કસમાં ખેલ કરનારા કલાકારો સાથે જિંદગીએ પણ ખેલ ખેલ્યો

Karnavati 24 News