Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

આનંદી સંસ્થા અને માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા માળીયા મેઈન ચોરાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માળીયા તાલુકા અને નગર પાલિકા તેમજ વાંઢ વિસ્તારમાં વર્ષો જુના પ્રશ્નો વિષે આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી

માળિયા મહિલા સંગઠન દ્વારા આવેદન પાઠવીને વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી જે નીચે મુજબ છે

1)માળીયા મેન બજાર માં ખુલી ગટરો ના કારણે બીમારી નું પ્રમાણ વધે છે. જે ખુલી ગટરો બંધ કરવા  માંગ

2) વંચિત સમુદાય ના કુટુંબો ને BPL યાદી માં સમાવેશ.

3) નગર પાલિકા ની વાંઢ વિસ્તાર માં વર્ષો સુધી આંગણવાડી નથી જ્યાં બાળકોના પોષણ અને શિક્ષણ ને ધ્યાનમાં રાખી મીની આંગણવાડી ની માંગ

4) જ્યાં આંગણવાડી છે ત્યાં આંગણવાડી ના મકાનો નથી તેની માંગ.

5) વાંઢ વિસ્તાર માં આ 21 સદીમાં લોકો હજુ પણ અંધકાર માં જીવે છે ત્યાં લાઈટ ની સુવિધા ની માંગ.

6) સસ્તા અનાજ ની દુકાન માંથી પૂરતું, ચોખ્ખું, અને બિલ મળવા ની માંગ

7) વિધવા, એકલ, વિકલાંગ વ્યક્તિને અંત્યોદય રાશન કાર્ડ ની માંગ

8) શાળાઓ માં છોકરા છોકરીયો માટે ટોયલેટ બાથરૂમ ની અલગ સુવિધાઓ,

તે ઉપરાંત રેલી બાદ માળિયા તાલુકાના નવા ચૂંટાયેલા મહિલા સરપંચનું સન્માન આનંદી સંસ્થા અને સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું માળીયા મહિલા શક્તિ સંગઠનના જે જુના અનુભવી આગેવાન બહેનો જેના દ્વારા 15 વર્ષ થી અન્ન સુરક્ષા, આજીવિકા, આરોગ્ય અને પોષણ,  કામના અધિકાર ને લઇને લડતો કરેલ તેની સંઘર્ષની ગાથા આગેવાન બહેનો દ્વારા રજુ કરવામાં આવી હતી

 

संबंधित पोस्ट

ગુજરાત દિપોત્સવ અંક વિક્રમ સંવત 2078 મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર બનાવશે રાજકીય પક્ષ? 12 નવેમ્બરે કરી શકે છે જાહેરાત

Admin

સંકટમાં ઉદ્ધવ સરકાર LIVE: સંજય રાઉતે કહ્યું- મહત્તમ સત્તા જશે; સાંજ સુધી 50 ધારાસભ્યો ઠાકરેની વિરુદ્ધ હોઈ શકે છે

Karnavati 24 News

PM મોદીએ સાયન્સ સિટી અમદાવાદમાં આયોજિત કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Karnavati 24 News

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News