Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીની નોટીસ તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. જે અનુસાર આ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. ૧૦/૧૧/૨૦૨૨થી તા. ૧૭/૧૧/૨૦૨૨ સુધી  કામકાજના દિવસો દરમિયાન સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક દરમિયાન ચૂંટણી અધિકારી,૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગ  અને પ્રાંત અધિકારી, પ્રાંતિજની કચેરી ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદાર પ્રાંતિજની કચેરી ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.(૧૮/૧૧/૨૦૨૨)  શુક્ર્વારના રોજ ૧૧-૦૦ કલાકે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રો તા. ૨૧/૧૧/૨૦૨૨ (સોમવાર)ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા પાછા ખેંચી શકાશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે. એમ એમ.એન. ડોડીયા, ચૂંટણી અધિકારી, ૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગની અને  પ્રાંત અધિકારી પ્રાંતિજની એક અખબારી યાદીમાં જણાવેલ છે.
તો ગજેન્દ્રસિંહ પરમાર નુ નામ જાહેર થતા ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો મા ખુશી જોવા મળી અને વકતાપુર ખાતે આવેલ તેવોના નિવાસ્થાને ભાજપ કાર્યકરો આગેવોનો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેવોને અભિનંદન પાઠવ્યા હતા

संबंधित पोस्ट

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News

પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Karnavati 24 News

શિવસેનાએ સામનામાં લખ્યું, ‘મહારાષ્ટ્રમાં નવી સરકાર સ્વપ્ન સમાન છે, સમયસર સાવચેત રહો’

Karnavati 24 News

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: PM મોદીને ગુજરાત ચૂંટણીમાં બાટલા હાઉસ યાદ આવ્યું, આતંકવાદ પર કોંગ્રેસને ઘેરી

Admin

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ગાંધીનગર જિલ્લામાં મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ-સરનામાં વગરનાં ચૂંટણીલક્ષી ચોપાનિયાં અને ભીંતપત્રો છાપવા કે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ

Karnavati 24 News
Translate »