Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

શા માટે દરરોજ 4,000 ડગલાં ચાલો?

જો તમે દરરોજ 30થી 45 મિનિટ ઝડપી ગતિએ ચાલો છો તો તમે 4,000 સ્ટેપ્સ ચાલ્યા છો તેવું માનવું.
દરરોજ ચાલવા કેમ જવું જોઈએ તે માટેના મુખ્ય બે કારણો છે. એક તો દરરોજ ચાલવાથી વ્યક્તિ લાંબુ જીવન જીવી શકે છે અને બીજું કે દરરોજ વધારે સ્ટેપ્સ ચાલવું એટલું સરળ કામ નથી. જો કોઈ વ્યક્તિ દરરોજ 3 કિલોમીટર જેટલું ચાલે તો તે 4,000 પગલાં ચાલ્યો તેમ કહી શકાય. આટલું ચાલતા 30થી 45 મિનિટનો સમય લાગે છે જે ખરેખરમાં તમારી ચાલવાની સ્પીડ પર આધારિત છે.

એક રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જે વ્યક્તિ સવારે પલંગમાંથી ઉઠીને તરત જ કસરત કરવા અથવા ચાલવા જાય છે તે વ્યક્તિ વધુ સારું અને લાંબુ જીવી જાય છે. જે લોકો આખો દિવસ દરમિયાન શ્રમ નથી કરતા તેના કરતા શ્રમ કરતા લોકો વધારે તંદુરસ્ત રહે છે. જો તમે દરરોજ 2000 સ્ટેપ્સ ચાલો છો તે યોગ્ય છે પણ દરરોજ 4000 સ્ટેપ્સ ચાલવાથી ઘણો વધારે ફાયદો થાય છે. દરરોજ સવારે ગાર્ડન અથવા પાર્ક કે પછી રસ્તા પર ચાલવા જવું શરીર માટે ઘણું જ ફાયદાકારક છે.
જો તમે દરરોજ 30થી 45 મિનિટ ઝડપી ગતિએ ચાલો છો તો તમે 4,000 સ્ટેપ્સ ચાલ્યા છો તેવું માનવું. જો તમે દરરોજ શારીરિક શ્રમ કરવા માગો છો તો ચાલવું એ સૌથી શ્રેષ્ઠ કસરત છે. ચાલવાના ઘણાં પ્રકારો છે કે જેમાં ઝડપથી ચાલવું, ધીરે ચાલવું કે પછી સામાન્ય ગતિએ ચાલવું વગેરે સામેલ છે.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો તમે દરરોજ ચાલો છો ત્યારે સાથે-સાથે ફોન પર વાત કરવાનું અથવા ગીતો સાંભળવાનું ટાળવું જોઈએ. આખો દિવસ વ્યક્તિ ફોન અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલો હોય છે ત્યારે 35થી 40 મિનિટ જેટલું ચાલતી વખતે ફોનનો ઉપયોગ ટાળો અને માત્ર પોતાની જાત સાથેનો સમય પસાર કરશો તો આનંદ આવશે. ચાલતી વખતે માત્ર ચાલવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને શક્ય હોય તો સાથે મોબાઈલ ફોન પણ રાખવો જોઈએ નહીં. ચાલતી વખતે આસપાસના વાતાવરણનો આનંદ માણવો જોઈએ. ટૂંકમાં દરરોજ ચાલવું જોઈએ અને ચાલતી વખતે મોબાઈલ ફોન-ઈયરફોન સાથે રાખવા જોઈએ નહીં. દરરોજ 30થી 45 મિનિટ ચાલવું જોઈએ. જેથી તમે તંદુરસ્ત રહેશો અને લાંબુ જીવન જીવશો.

संबंधित पोस्ट

તમારા બાળકને વારંવાર કાનમાં ખંજવાળ આવે છે? તો પહેલા જાણી લો આ કારણો, નહિં તો..

Karnavati 24 News

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

Karnavati 24 News

રાત્રે સૂતી વખતે પીવો આ 2 ડ્રિંક્સ, તમને જિમ ગયા વગર જ મળશે ફ્લેટ ટમી.

Karnavati 24 News

Property Tips: બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં વિલંબ કરી રહ્યો છે! તો જાણો ખરીદદારોના અધિકારો…

Karnavati 24 News

વાસ્તુશાસ્ત્ર: જો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય તો સવારમાં ઉઠીને કરો આ કામ, નંબર 3 ખુબ જ જરૂરી…

Karnavati 24 News

અન્ય કોઇના નહીં, ખુદનાં રોલ મોડેલ બનો : રીઝવાન આડતીયા :પોરબંદરનાં પનોતા પુત્ર રીઝવાન આડતીયાનું આફ્રિકામાં અપહરણ થયું હતું

Karnavati 24 News