Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 મધ્યપ્રદેશથી અમદાવાદ આવી રહેલી ટ્રાવેલ્સના ચાલકને ત્રણ અજાણ્યા પેસેન્જરોએ મારામારી બસને નુકશાન પહોંચાડ્યું

મધ્યપ્રદેશથી અમદાવાદ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકને તેની જ બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ અજાણ્યા પેસેન્જરોએ મારામારી કરતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે . બસ અધવચ્ચે રસ્તામાં બંધ પડી જતાં મુસાફરોએ પરત ભાડુ માંગતાં ટ્રાવેલ્સના ચાલક અને પેસેન્જરો વચ્ચેમાથાકૂટ ચાલતી હતી અને આ દરમિયાન ચાલકને ગડદાપાટુનો મારમારી બસને નુકશાન પહોંચાડ્યું છે . અમદાવાદ – ઈન્દોર હાઈવે પર પીઠાઇ ટોલ પ્લાઝાની આગળ બનાવ બનતાં ટ્રાવેલ્સના ચાલકે આ અંગે કઠલાલ પોલીસ મથકે આ ત્રણ અજાણ્યા પેસેન્જરો સામે ફરિયાદ નોંધાવી છે . મધ્યપ્રદેશના ગોહદ તાલુકાના બૈડફરી ગામે રહેતા રાધેશ્યામ રતનસિંહ નાયક પોતે રામસેરુ ખાતે આવેલ એક ટ્રાવેલ્સમાં વાહન ચાલક તરીકેની ફરજ બજાવે છે . ગત 18 મી ડીસેમ્બરના રોજ તેઓ આ ટ્રાવેલ્સની બસ નં . ( GJ – 01 – HT – 4603 ) મધ્યપ્રદેશના પૈંડથી અમદાવાદ પેસેન્જરોને લઈને આવતાં હતા . આ દરમિયાન મધરાતે રસ્તામાં કોઈ ટેકનીકલ ખામીના કારણે બસ બંધ પડી ગઈ હતી . જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો ટ્રાવેલ્સના ચાલક સામે ધૂઆ ૫ૂઆ થઈ ગયા હતા . અને રોષ પૂર્વક જણાવ્યું કે અમારા ભાડાના નાણાં અમને પરત આપો જોકે બસ થોડી વારમાં રીપેર થઈ જતાં વાત થાડે પડી હતી . આ બસ આગળ અમદાવાદ તરફ આવી રહી હતી . બીજા દિવસે સવારના સાડા દશ વાગ્યાની આસપાસ કઠલાલના અમદાવાદ – ઈન્દોર હાઈવે પર પીઠાઇ ટોલ પ્લાઝા પાસે એક પેસેન્જરે બસ રોકાવી હતી . જે બાદ તે અને અન્ય એક શખ્સ ઉતરી ગયો હતો . બસ થોડે આગળ જતાં એક કારે આ ટ્રાવેલ્સને આંતરી હતી અને અગાઉ ટ્રાવેલ્સમાં બેઠેલા બે અને કાર ચાલક મળી ત્રણ લોકોએ ટ્રાવેલ્સના ચાલક રાધેશ્યામ નાયકને ગડદાપાટુનો માર માર્યોહતો . આ ઉપરાંત ટ્રાવેલ્સ બસના ડ્રાઇવર અને કંડકટર સાઈડના કાચ તોડી નાખ્યા હતા . અને ધમકી આપી ફરાર થઈ ગયા હતા . આ અંગે ટ્રાવેલ્સના ચાલક રાધેશ્યામ નાયકે ઉપરોક્ત ત્રણેય અજાણ્યા શખ્સો સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે . પોલીસે આઈપીસી 323 , 427 , 506 ( 2 ) , 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

संबंधित पोस्ट

સાયબર ફ્રોડ નો ભોગ બનો તો તુરંત 1930 માં ફોન કરો

Admin

જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી

Karnavati 24 News

નકલી સીબીઆઈ ઓફિસર બની લૂંટારાઓએ વેપારીની ઓફિસ પર દરોડા પાડ્યા, 50 લાખ લૂટી ગયા

Admin

પાકિસ્તાની ઘૂસણખોરની ભારતમાં ધરપકડ મામલામાં નુપુર શર્માને મારવાનો થયો ખુલાસો, મળી આવ્યો નકશો

Karnavati 24 News

દાહોદ શહેરની એક મંદ બુદ્ધિ યુવતી નું અપહરણ કરી લઇ જતા દાહોદ એ ડિવિઝન પોલીસે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતની સચિન પોલીસે શંકાસ્પદ હાલતમાં સરકારી અનાજની ચાર ગાડીઓ ઝડપીને કાર્યવાહી કરી

Admin
Translate »