Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરતની સચિન પોલીસે શંકાસ્પદ હાલતમાં સરકારી અનાજની ચાર ગાડીઓ ઝડપીને કાર્યવાહી કરી

હાલ ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકાર તરફથી સસ્તા દરે અનાજ આપવામાં આવે છે . જેમાં ઘણી વાર આવી સરકારી અનાજની દુકાનો માં બેફામ કાળા બજારી જોવા મળે ત્યારે સરકારી ગોડાઉનમાંથી ગેરકાયદે ત્રાહિત વાહનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી અન્ય ગોડાઉન પર લઈ જતી સમયે સચિન પોલીસે સરકારી અનાજ ભરેલ ત્રણથી વધુ ગાડીઓને ઝડપી લીધી હતી . આમ સચિન પોલીસે ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરતા SDM સહિત નાયબ મામલતદારની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી . આ સરકારી અનાજની કાળા બજારીનો મામલો સામે આવતા જ સચિન ગોડાઉનના મહિલા મેનેજર મોબાઈલ બંધ કરી ભૂગર્ભ ઉતરી જતા ગોડાઉનને શીલ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા NSFA રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે સરકારી અનાજની ફાળવણી કરવામાં આવી રહી છે.જો કે આ સરકારી અનાજ ગરીબો સુધી પોહચાડવાને બદલે કેટલાક કાળા બજારીયાઓ સરકારી બાબુઓની સાંઠગાંઠ માં બારોબાર સગેવગે કરી રહ્યા છે.આવીજ કંઈક ઘટના સુરતના સચિન વિસ્તારમાં બની છે. જ્યાં સચિન ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાંથી ગોડાઉન મેનેજરને સાંઠગાંઠ માં ત્રાહિત વ્યક્તિઓના ખાનગી વાહનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી ગેરકાયદે રીતે અન્ય ગોડાઉનમાં લઇ જવામાં આવી રહ્યો હતો.જે અંગેની બાતમી મળતા સચિન પોલીસે સરકારી અનાજ ભરેલ ત્રણથી વધુ ટ્રકો ઝડપી પાડી ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરી હતી. જ્યાં બનાવની જાણકારી મળતા SDM અને નાયબ મામલતદાર સહિતની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.જ્યાં સચિન પોલીસ અને સુરત જિલ્લા કલેકટર કચેરીની ટીમ દ્વારા સચિન સ્થિત સરકારી ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી..પોલીસ અને જિલ્લા ક્લેકટર કચેરીની ટીમ ગોડાઉન પર પોહચે તે પહેલાં જ ગોડાઉનના મહિલા મેનેજર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા… જ્યાં પંચોના રૂબરૂમાં ગોડાઉન શીલ કરી આગળની કાર્યવાહી અને તપાસ જિલ્લા કલેકટર કચેરીની પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.આ સાથે સચિન પોલીસે કબ્જે કરેલ ત્રણ ટ્રકથી વધુ સરકારી અનાજનો જથ્થો વરાછા સ્થિત સરકારી ગોડાઉન માં સૂઝ કરી દેવામાં આવ્યો હતો.સમગ્ર સરકારી અનાજની કાળા બજારીના આ રેકેટમાં ગોડાઉન મેનેજર ની શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવી હતી.જ્યારે કોન્ટ્રાકટર અને પેટા-કોન્ટ્રાકટર રાકેશ રાજપૂત સહિત અરવિંદ રાજપૂત નામના શખ્સોની સરકારી અનાજની કાળા બજારીમાં સંડોવણી હોવાના આક્ષેપ થયા હતા.

संबंधित पोस्ट

પાકિસ્તાની ઘૂસણખોરની ભારતમાં ધરપકડ મામલામાં નુપુર શર્માને મારવાનો થયો ખુલાસો, મળી આવ્યો નકશો

Karnavati 24 News

અરવલ્લી : ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકશો તો જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાશે

Karnavati 24 News

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

Karnavati 24 News

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

 જામનગરમાં સ્વામીનારાયણનગરમાં ટ્રકમાંથી ટાયરની ચોરી

Karnavati 24 News

સુરત: વિચલિત કરનારી ઘટના: સુરતમાં 7 વર્ષનું બાળક માતા સાથે રોડ ક્રોસ કરી રહ્યું હતું, અચાનક સ્કૂલ બસે અડફેટે લેતા મોત

Admin