Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વાહનની સબસીડી લોન માટે લાંચ લેતા 2 સરકારી કર્મચારીઓને ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા 



(જી.એન.એસ) તા.4

ગાંધીનગર,

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાહનની સબસીડી લોન માટે લાંચ લેતા 2 સરકારી કર્મચારીઓને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ઝડપી પાડ્યા છે. ઇન્ચાર્જ મદદનીશ કમિશનર અને પ્યુન લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ફરિયાદી પાસેથી 4 હજારથી વધુની લાંચ માંગવામાં આવી હતી.

આ માળે મળતી માહિતી અનુસાર, ફરીયાદીને વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ. 7.74 લાખની સબસીડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે સંપર્ક કરતા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના પટાવાળા પ્રવિણભાઇ મણીલાલ શ્રીમાળીએ ફરિયાદીનું ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજુર કરાવી આપવાના અવેજ પેટે રૂ. 4200/- ની લાંચની માંગણી કરી હતી. મૌલિક પટેલ અને પ્રવીણ શ્રીમાળી નામના 2 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. સરકારી બિલ્ડિંગની કચેરીમાં લાંચ માંગવામાં આવી હતી.

ગાંધીનગરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલના પટાવાળાએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના નાણાં સ્વીકર્યા હતા. આરોપી પટાવાળાએ સ્વીકારેલ નાણાં બાબતે આરોપી મૌલિક મહેન્દ્રભાઇ પટેલ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ (ઇન્ચાર્જ મદદનીશ કમિશનર) એ સહમતી દર્શાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા બન્ને આરોપીઓ પકડાઇ ગયા હતા. સમગ્ર મામલે ACB એ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિને ઉજાગર કરી છે. ACB દ્વારા આવા ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

સુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોતસુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોત

Karnavati 24 News

દામનગર ના શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

Admin

ભાવનગર યૂનિવર્સિટીમાં 27 માર્ચે મળનારી વાર્ષિક સભા મુલત્વી રાખવા કુલપતિને રજૂઆત

Karnavati 24 News

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

Karnavati 24 News

આયુષ મેગાકેમ્પનો લાભ નગરજનો લઈ શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ

Gujarat Desk

અમરેલીમાં ઠંડીનો પારો ગગડ્યો, 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ

Karnavati 24 News
Translate »