Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભાવનગર યૂનિવર્સિટીમાં 27 માર્ચે મળનારી વાર્ષિક સભા મુલત્વી રાખવા કુલપતિને રજૂઆત

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આગામી તારીખ 27 માર્ચના રોજ મળનારી હોટ સભામાં યુનિવર્સિટીના નિયમોનો ભંગ થતો હોય વાર્ષિક સભા મુલત્વી રાખવા અંગે કોર્ટ સભ્યોએ ઇન્ચાર્જ કુલપતિ એમ.એમ. ત્રિવેદી સમક્ષ રજૂઆત કરી છે.

વાર્ષિક કોર્ટ સભાના એજન્ડાના કવર કોર્ટ સભ્યોને સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ 16 દિવસ પૂર્વે મળ્યા નથી. એજન્ડામાં પ્રશ્નોત્તરી જે સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ એજન્ડા સાથે મોકલવી પડે તે મોકલાવાઇ નથી. વાર્ષિક અહેવાલ પણ સ્ટેચ્યુટ મુજબ મંજૂર થયો નથી અને મંજૂરીની અપેક્ષાએ એજન્ડામાં દર્શાવી નિયમનો ભંગ કર્યો છે. ક્રમાંકમાં અધિનિયમની તમામ જોગવાઇઓનો ભંગ થતો હોય આ સંજોગોમાં યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તા મંડળની મીટીંગ 27 માર્ચના રોજ યોજી શકાય નહીં. સ્ટેચ્યુ મુજબ તેની તમામ જોગવાઈ મુજબની કાર્યવાહી પૂર્ણ કરીને તમામ બાબત વાર્ષિક સભામાં આવે તે નિયમ છે એમ પણ કોર્ટ સભ્યોએ રજૂઆતમાં જણાવ્યું છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આગામી તારીખ 27 માર્ચના રોજ મળનારી હોટ સભામાં યુનિવર્સિટીના નિયમોનો ભંગ થતો હોય વાર્ષિક સભા મુલત્વી રાખવા અંગે કોર્ટ સભ્યોએ ઇન્ચાર્જ કુલપતિ એમ.એમ. ત્રિવેદી સમક્ષ રજૂઆત કરી છે.

संबंधित पोस्ट

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

Karnavati 24 News

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જાણો તેની પાછળના સૌથી મોટા કારણો અને ઉપાયો

Admin

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

દાહોદના બોરડી ઈનામી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર ,નાગરિકોએ મોટી સંખ્યામાં હેલ્થ મેળાનો લાભ લીધો

Karnavati 24 News