Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

આઝાદીના 75 વર્ષની ઉજવણી અને ભાજપના સ્થાપના દિન નિમિત્તે યુવા ભાજપ દ્વારા ગત 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી એક બાઈક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજયના 41 જિલ્લાઓમાંથી પસાર થયા બાદ આવતી કાલે સુરત ખાતે રેલીનું સનાપન થયું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આ રેલી પરવટ પાટીયાથી મોટા વરાછા સહીતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલીનું સ્વાગત કરવા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશ ભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવામાં પ્રમુખ પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી બાઈક રેલીનો આરંભ કરવામાં આવ્યો હતો.ભાજપ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદથી શરૂ થયેલી યુવા ભાજપની રેલીનું આજે સમાપન સાંજના પાંચ કલાકે પરવત પાટિયાથી પુણા, કાપોદ્રા, વરાછારોડ, હીરાબાગ સીતાનગર ચોકડી પુણાગામ યોગીચોક સરથાણા સહિતના વિસ્તારોમાં ફરી મોટા વરાછા ખાતે જંગી જનમેદની સાથે સભા યોજી સમાપન થય હતી. મહત્વની વાત છે કે ભાજપ દ્વારા રેલી સ્વરૂપે એક શક્તિ પ્રદર્શન યોજયું હોય તેવું કહી શકાય ..જેમાં મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તા તેમજ સૂરત પોલીસ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં…

संबंधित पोस्ट

પાટણ ની ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં અભિજ્ઞાન શાંકુન્તલ પુસ્તક વિશે પ્રવચન યોજાયું

Admin

સુરત સોનામાં ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ પડ્યો ઊંધો,DRI વિંગે રેડ કરીને ૮ કરોડનું સોનુ પકડી પાડ્યું.!

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

પાટડીના ધામા ગામમાં માયનોર કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતના ઈસબગુલના પાકને મોટા પાયે નુકશાન

Karnavati 24 News