Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સાડીના વિવાદ માટે જીટીયુના પૂર્વ કુલપતિ અને રજીસ્ટ્રાર સામે થશે તપાસ

જીટીયુમાં પદવીદાન પહેલા સાડીનો વિવાદ સામે આવ્યો હતો જેમાં તપાસ કરવામાં આવશે. યુનિવર્સિટીના એટલે કે વિદ્યાર્થીઓના રુપિયેથી સાળી ખરીદી પત્નીઓને આપી હતી. ત્યારે આ મામલો બિચકાયો હતો અને વિવાદ પણ થયો હતો ત્યારે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જીટીયુના ભૂતપૂર્વ વીસી નવીન શેઠ અને વર્તમાન રજિસ્ટ્રાર સામે તપાસના આદેશ અપાયો હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. સમગ્ર વિવાદ હવે સીએમ ઓફિસ સુધી પહોંચ્યો છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.આરટીઆઈમાં આ ખુલાસો થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કોઈને કોઈ વાતને લઈને વિવાદ સામે આવતા હોય છે. ત્યારે  હોદ્દેદારોએ સાડી સરકારી રુપિયે ખરીદી હોવાનું સામે આવ્યું હતું. હોદ્દેદારોનો પત્ની પ્રેમ સરકારી પૈસે સામે આવ્યો છે.  અમદાવાદની દુકાનમાં આ માટે ઓર્ડર અપાયો હતો. આ ઉપરાંત અન્ય સ્ટાફે પણ 6 સાડીઓ ખરીદી હતી.

જીટીયુના અગાઉના 2022માં થયેલા પદવીદાન માટે આ સાડી ખરીદાઈ હતી. મળતી વિગતો અનુસાર એક સાડીની કિંમત 2700 છે. આ પ્રકારે યુનિવર્સિટીના રુપિયાથી પરીવારજનો માટે સાડી ખરીદવી એ કેટલા અંશે વાજબી છે.  જેને લઈને તપાસ થશે. ખાસ કરીને જીટીયુમાં એક ડ્રેસ કોડ આપવામાં આવતો હોય છે જે હિસાબથી એ ડ્રેસકોડ પહેરી સ્ટાફ વગેરે આવતા હોય છે ત્યારે ગત વખતે આ પ્રકારે ડ્રેસ કોડ આપવામાં આવ્યો હતો. જેમાં આ સાડીનો મુદ્દો આ વખતે ફેબ્રુઆરીમાં જીટીયુનો પદવીદાન સમારોહ આવ્યો હતો એ પહેલા જ વિવાદમાં સામે આવ્યો હતો. એક આરટીઆઈમાં આ સાડી ખરીદીનો વિવાદ સામે આવ્યો હતો.

संबंधित पोस्ट

જો આપણે વાસ્તવિકતા નહીં સ્વીકારીએ તો એન્ટિક બની જઈશું

Karnavati 24 News

10वीं की परीक्षा में फेल होने के बाद उत्तर प्रदेश के नाबालिग की आत्महत्या से मौत: पुलिस |

Karnavati 24 News

रशिया-यूक्रेन युद्ध: यूक्रेनी सेना के अधिकारी ने कहा- ‘राष्ट्र को सबसे ज्यादा ‘हवाई रक्षा प्रणाली’ की आवश्यकता’

Karnavati 24 News

नोएडा में बकाया नहीं मिला तो मर्सिडीज में लगाई आग

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં તાજેતરમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓના કમિશ્નરશ્રીઓ, વહીવટદાર કલેકટરશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી.

Karnavati 24 News

આપણે એક ઈંચ જેટલો વિકાસ કરી શક્યા નથી

Karnavati 24 News
Translate »