Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

શહેરી વિસ્તારમાં કુલ ૧૪ મિલકતોને પાલિકાએ મારી દીધા સીલ : ૩૩ કરોડની ડિમાન્ડની સામે ૮.પ૦ કરોડની ઉઘરાણી

પોરબંદર-છાંયા સંયુક્ત નગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ વેરાની વસુલાત કરવામાં આવે છે. પરંતુ કેટલાક આસામીઓ પાંચ-પાંચ વર્ષની વેરો ભરતા નથી. હવે આવા આસામીઓ વિરૂદ્ધ પાલિકાએ સીલનું શસ્ત્ર ઉપાડ્યું છે. એક સપ્તાહ પૂર્વે ૭ મિલ્કતોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ ૯ ફેબ્રુઆરી ગુરૂવારે વધુ ૭ આસામીઓની મિલ્કત સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પાલિકા લાંબા સમયથી વેરો ન ભરનારા આસામીઓની મિલ્કતો સીલ કરશે.
શહેરી વિસ્તારમાં લાઇટ, પાણી, રોડ, સફાઇ સહિતની સુવિધા આપવા પાલિકા દ્વારા વેરાની ઉઘરાણી કરવામાં આવે છે. પરંતુ નાગરીકો સમયસર વેરો ભરતા નથી જેથી પાલિકા નાગરીકોને પૂરતી સુવિધા આપી શકતી નથી. પાલિકાએ ર૪ હજાર જેટલી નોટીસો પણ ફટકારવામાં આવી છે. પાલિકાના હાઉસ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ર૦રર-ર૩ અને લાંબા સમયથી બાકી વેરા મળી કુલ ૩૩ કરોડની ડિમાન્ડ હતી. જેમાંથી ૮.પ૦ કરોડ જેટલી રકમની વસુલાત થઇ છે. હજુ પણ કરોડો રૂપિયાનો વેરો વસુલવાનો બાકી છે. જેમાં પોરબંદર શહેરની જૂની મહારાણા મીલ, એસીસી તેમજ અન્ય ફેકટરીઓનો ૧૦ કરોડ જેટલો વેરો બાકી છે. જે ખૂબ મોટી રકમ ગણી શકાય. પરંતુ આવા નામચીન ફેક્ટરીઓ એ પણ વેરો ભર્યો નથી. તે સિવાયનો પણ શહેરી વિસ્તારમાં કરોડોનો વેરો બાકી છે. પાંચ-પાંચ વર્ષથી વેરો ન ભરાનારાઓની ખેર નથી. પાલિકાના હાઉસ ટેક્ષ વિભાગે મિલ્કતો સીલ કરવાની કામગીરી ઝડપથી શરૂ કરી છે. એક સપ્તાહ પૂર્વે ૭ જેટલી મિલ્કતોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ૯ ફેબ્રુઆરી ગુરૂવારે વધુ ૭ મિલ્કતો સીલ કરવામાં આવી હતી. હાઉસ ટેક્ષ વિભાગના અધિકારી વિપુલ ભટ્ટના જણાવ્યા મુજબ લાંબા સમયથી વેરો ન ભરનારા નાગરીકોને નોટીસો આપવામાં આવી છે. આમ છતાં આસામીઓ વેરો ભરવા આવતા નથી. જેથી નગરપાલિકાના ચિફ ઓફિસરના આદેશ મુજબ હાઉસ ટેક્ષ વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. નગરજનોને પાલિકાએ  અપીલ કરી છે કે બાકી વેરા ધારકો તાત્કાલીક વેરો ભરી આપે નહીંતર મિલ્કતો સીલ કરવામાં આવશે.

संबंधित पोस्ट

बठिंडा पहुंची हरसिमरत कौर बादल ने कांग्रेस को घेरा हरसिमरत कौर बादल ने पत्रकारों से किया बातचीत

Admin

प. बंगाल – ममता के मंत्रीमंडल में फेरबदल देखिये कौन बना मंत्री

Karnavati 24 News

लखनऊ : सीएम योगी ने अखिलेश द्वारा मुलायम की जगह प्राप्त किया पद्म विभूषण अवार्ड का वीडियो किया ट्वीट

Admin

अग्निपथ योजना पर आप नेता मनीष सिसोदिया की मोदी सरकार को नसीहत, सभी विधायक और सांसद के बच्चों के लिए अनिवार्य

Karnavati 24 News

देहरादून : 8 अप्रैल से शुरू होगी बीजेपी विधायकों की पाठशाला, मोदी-शाह जैसे दिग्गज देंगे पढ़ाएंगे राजनीती का पाठ

Admin

दिल्ली आबकारी नीति मामले में अरविंद केजरीवाल को सीबीआई ने 16 अप्रैल को तलब किया

Admin