Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

અમરેલીમા ચાંદની ચોકમા રહેતા અલ્તાફભાઇ બાબુભાઇ નગરીયા પોતાના મિત્રો સાથે કાર લઇ ઉર્ષ શરીફમા ભાગ લેવા અજમેર ગયા હતા. અને અજમેરથી પરત ફરતી વખતે પાલી નજીક તેમની કાર સાથે સામેથી રોંગ સાઇડમા આવી રહેલી કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. આ ઘટનામા અલ્તાફભાઇ નગરીયાનુ મોત થયુ હતુ. જયારે તેમની સાથે રહેલા જાવિદભાઇ કરીમભાઇ ચૌહાણ અને સરફરાઝભાઇ કાળુભાઇ બિલખીયાને ઇજા પહોંચી હતી. મૃતક અલ્તાફભાઇને સંતાનમા એક દીકરો અને એક દીકરી હોવાનુ જાણવા મળેલ છે.

અકસ્માતની અન્ય એક ઘટનામા અમરેલીના શકીલ સલીમભાઇ મકવાણા (ઉ.વ.18) નામના યુવકનુ મોત થયુ હતુ. આ યુવક પોતાના સગા ભાઇ અને માસીના દીકરા સાથે કાર લઇ અજમેર જવા નીકળ્યો હતો. પરંતુ આબુ રોડ નજીક સવારના સમયે ગાઢ ધુમ્મસ હોય તેની કાર ડિવાઇડર સાથે અથડાઇ ચાર ગોથા ખાઇ ગઇ હતી. શકીલ કારમાથી બહાર ફેંકાઇ જતા ગંભીર ઇજાથી તેનુ મોત થયુ હતુ. જયારે તેના સગા ભાઇ અને માસીયાઇ ભાઇ સહિત ત્રણને ઇજા પહોંચી હતી. બંને યુવાનોની અમરેલીમા દફનવિધી કરાઇ હતી.

संबंधित पोस्ट

અમદાવાદ: ઠંડાપીણાની મજા લેતા પહેલા ચેતી જજો…રેડમાં અયોગ્ય 700 લીટર ઠંડાપીણા-શરબતનો નાશ કરાયો, આટલી એકમોને નોટિસ

Admin

પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ ખાર રાખી યુવતીનું કર્યું અપહરણ: યુવકે સસરા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

Admin

ગાંધીનગર: પ્લોટનું ભાડું અને વીજળી બિલ ન ચૂકવી 11.33 લાખની છેતરપિંડી કરનાર દંપતી સામે ફરિયાદ

Admin

દ્વારકા: ખંભાળિયામાં યુવક પર જીવલેણ હુમલો કરનારા બેને 3 વર્ષની જેલ, અન્ય ઘટનામાં બાઇક ચોરની ધરપકડ

Admin

અયાવેજમાં સાવજોએ ગાયનું મારણ કરીમિજબાની માણી વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી ભયમુકત કરો

Admin

રાજકોટ પોલીસની સરહનીનાય કામગીરી: આફિકામાં ખંડણી માટે અપહરણ થયેલા યુવકને સહી સલામત રાજકોટ પહોંચાડ્યો

Admin
Translate »