અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત
અમરેલીમા ચાંદની ચોકમા રહેતા અલ્તાફભાઇ બાબુભાઇ નગરીયા પોતાના મિત્રો સાથે કાર લઇ ઉર્ષ શરીફમા ભાગ લેવા અજમેર ગયા હતા. અને અજમેરથી પરત ફરતી વખતે પાલી નજીક તેમની કાર સાથે સામેથી રોંગ સાઇડમા આવી રહેલી કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. આ ઘટનામા અલ્તાફભાઇ નગરીયાનુ મોત થયુ હતુ. જયારે તેમની સાથે રહેલા જાવિદભાઇ કરીમભાઇ ચૌહાણ અને સરફરાઝભાઇ કાળુભાઇ બિલખીયાને ઇજા પહોંચી હતી. મૃતક અલ્તાફભાઇને સંતાનમા એક દીકરો અને એક દીકરી હોવાનુ જાણવા મળેલ છે.
અકસ્માતની અન્ય એક ઘટનામા અમરેલીના શકીલ સલીમભાઇ મકવાણા (ઉ.વ.18) નામના યુવકનુ મોત થયુ હતુ. આ યુવક પોતાના સગા ભાઇ અને માસીના દીકરા સાથે કાર લઇ અજમેર જવા નીકળ્યો હતો. પરંતુ આબુ રોડ નજીક સવારના સમયે ગાઢ ધુમ્મસ હોય તેની કાર ડિવાઇડર સાથે અથડાઇ ચાર ગોથા ખાઇ ગઇ હતી. શકીલ કારમાથી બહાર ફેંકાઇ જતા ગંભીર ઇજાથી તેનુ મોત થયુ હતુ. જયારે તેના સગા ભાઇ અને માસીયાઇ ભાઇ સહિત ત્રણને ઇજા પહોંચી હતી. બંને યુવાનોની અમરેલીમા દફનવિધી કરાઇ હતી.