પોરબંદર સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી બચાવવા માટે લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદરના જાવર ગામ ખાતે લોકોને વ્યાજખોરોના ત્રાસ સામે રક્ષણ આપવા માટે હાર્બર મરીન પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જુનાગઢ વિભાગના પોલીસ માહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સુચના અનુંસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગૌસ્વામીના માર્ગદર્શન મુજબ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ.ગામેતીની હાજરીમાં પોરબંદરના જાવર ગામે લોક દરબાર યોજાયો હતો.
હાર્બર મરીન પોલીસ દ્વારા જાવર ગામના સરપંચ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજી લોકોને વ્યાજ ખોરોના ત્રાસ સામે કઇ રીતે રક્ષણ મેળવી શકાય તેમજ ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે લોકોને સમજણ આપવામા આવી હતી. તથા ગેરકાયદેસર વ્યાજખોરીનો ભોગ બનેલા વ્યક્તિઓને પોલીસમાં ફરીયાદ કરવા હાર્બર મરીન પોલીસ દ્વારા અપીલ કરવામા આવી હતી. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જુનાગઢ વિભાગના પોલીસ માહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સુચના અનુંસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગૌસ્વામીના માર્ગદર્શન મુજબ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ.ગામેતીની હાજરીમાં પોરબંદરના જાવર ગામે લોક દરબાર યોજાયો હતો.