Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં પાલિકા તંત્ર દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં 5 વર્ષથી પીવાના પાણીની સમસ્યા હતી. ત્યારે પાલિકા દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. જે પુર્ણ થતા પાણીની સમસ્યા હલ થશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

….થાનગઢ શહેરના વિરાટ નગર હરીનગર ધર્મેન્દ્ર નગર અને દલવાડી નગર, આ ચાર સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષથી ઓછા પ્રેશરથી પાણી મળતું હતું. જેમાં 5 દિવસે 6 દિવસે પાણી આવતુ હોવાથી લોકો પરેશાન હતા. આથી પાંચ વર્ષ પહેલા આ વિસ્તારમાં એક પાણીનો ટાંકો બનાવવામાં આવેલો. આ પાણીના ટાંકાને મેઇન કનેક્શન સાથે જોઈન્ટ આપી ચાલુ કરવાનો હતો. આ ચાલુ કરવામાં 5 વર્ષ વીતી ગયા હતા. આથી 5 વર્ષથી લોકો પાણીની સમસ્યા ભોગવી રહ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયાએ જણાવ્યુ કે થાનના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં રૂ.10,98 કરોડનાખર્ચે 90 થી 300 એમએમ સાઇઝના પાણીની લાઇન નાંખવાનું કામ ચાલુ કરાયુ છે. આ પાણીના ટાંકો ધર્મેન્દ્ર નગરમાંથી ભીડભજન સોસાયટીના સંપ સાથે જોડાણ કરવામાં આવશે. આ જોડાણ કર્યા પછી આ સોસાયટીઓમાં પાણી પ્રેશરથી આવશે અને લોકોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ પાઈપ લાઈન ચાલુ થવાથી હજારો માણસોને પીવાના પાણીની સુવિધા મળશે.

संबंधित पोस्ट

રાજકોટના મુસાફરો માટે ખરાબ સમાચાર: બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટની ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

Admin

ઠંડીનું જોર ઘટયું: રાજકોટમાં પરો બે ડિગ્રી ઉચકાયો, બે દિવસ ઠંડીમાં થોડી રાહત

Admin

ધ્રાંગધ્રાના સોની તલાવડી વિસ્તારમા સામાન્ય બાબતમાં એક્સ આર્મીમેનના પરીવાર પર હુમલામાં વધુ ૦૫ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

Admin

અમદાવાદ ના નરોડા માં આવેલ કર્ણાવતી ટાટા મોટર્સ ની તકલીફો માં થઈ શકે છે વધારો…

Admin

बिहार: जल्द शरू होगी महत्वाकांक्षी एलिवेटेड रोड परियोजना ! बनेगी 600 मीटर लंबी सुरंग

Admin

રાજકોટમાં ૧૦ એકરમાં બનેલી સાયન્સ સીટીમાં અલગ અલગ છ થીમ આકર્ષણનું કેન્દ્ર

Admin