Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં પાલિકા તંત્ર દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં 5 વર્ષથી પીવાના પાણીની સમસ્યા હતી. ત્યારે પાલિકા દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. જે પુર્ણ થતા પાણીની સમસ્યા હલ થશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

….થાનગઢ શહેરના વિરાટ નગર હરીનગર ધર્મેન્દ્ર નગર અને દલવાડી નગર, આ ચાર સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષથી ઓછા પ્રેશરથી પાણી મળતું હતું. જેમાં 5 દિવસે 6 દિવસે પાણી આવતુ હોવાથી લોકો પરેશાન હતા. આથી પાંચ વર્ષ પહેલા આ વિસ્તારમાં એક પાણીનો ટાંકો બનાવવામાં આવેલો. આ પાણીના ટાંકાને મેઇન કનેક્શન સાથે જોઈન્ટ આપી ચાલુ કરવાનો હતો. આ ચાલુ કરવામાં 5 વર્ષ વીતી ગયા હતા. આથી 5 વર્ષથી લોકો પાણીની સમસ્યા ભોગવી રહ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયાએ જણાવ્યુ કે થાનના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં રૂ.10,98 કરોડનાખર્ચે 90 થી 300 એમએમ સાઇઝના પાણીની લાઇન નાંખવાનું કામ ચાલુ કરાયુ છે. આ પાણીના ટાંકો ધર્મેન્દ્ર નગરમાંથી ભીડભજન સોસાયટીના સંપ સાથે જોડાણ કરવામાં આવશે. આ જોડાણ કર્યા પછી આ સોસાયટીઓમાં પાણી પ્રેશરથી આવશે અને લોકોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ પાઈપ લાઈન ચાલુ થવાથી હજારો માણસોને પીવાના પાણીની સુવિધા મળશે.

संबंधित पोस्ट

ઠંડીનું જોર ઘટયું: રાજકોટમાં પરો બે ડિગ્રી ઉચકાયો, બે દિવસ ઠંડીમાં થોડી રાહત

Admin

मेरठ : किसानो को मुफ्त बिजली की घोषणा नहीं हुई पूरी, 125 करोड़ 76 हज़ार किसानो पर बाकी

અમદાવાદ ના નરોડા માં આવેલ કર્ણાવતી ટાટા મોટર્સ ની તકલીફો માં થઈ શકે છે વધારો…

Admin

પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર ફરી નિષ્ફળ, BSFએ જપ્ત કર્યો હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ

Admin

महाराष्ट्र: अमिताभ बच्चन, धर्मेंद्र और मुकेश अंबानी के घर को बम से उड़ाने कि मिली धमकी, एक कॉल से मच गया हड़कंप

Admin

રાજકોટના મુસાફરો માટે ખરાબ સમાચાર: બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટની ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

Admin
Translate »