થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં 5 વર્ષથી પીવાના પાણીની સમસ્યા હતી. ત્યારે પાલિકા દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. જે પુર્ણ થતા પાણીની સમસ્યા હલ થશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
….થાનગઢ શહેરના વિરાટ નગર હરીનગર ધર્મેન્દ્ર નગર અને દલવાડી નગર, આ ચાર સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષથી ઓછા પ્રેશરથી પાણી મળતું હતું. જેમાં 5 દિવસે 6 દિવસે પાણી આવતુ હોવાથી લોકો પરેશાન હતા. આથી પાંચ વર્ષ પહેલા આ વિસ્તારમાં એક પાણીનો ટાંકો બનાવવામાં આવેલો. આ પાણીના ટાંકાને મેઇન કનેક્શન સાથે જોઈન્ટ આપી ચાલુ કરવાનો હતો. આ ચાલુ કરવામાં 5 વર્ષ વીતી ગયા હતા. આથી 5 વર્ષથી લોકો પાણીની સમસ્યા ભોગવી રહ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયાએ જણાવ્યુ કે થાનના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં રૂ.10,98 કરોડનાખર્ચે 90 થી 300 એમએમ સાઇઝના પાણીની લાઇન નાંખવાનું કામ ચાલુ કરાયુ છે. આ પાણીના ટાંકો ધર્મેન્દ્ર નગરમાંથી ભીડભજન સોસાયટીના સંપ સાથે જોડાણ કરવામાં આવશે. આ જોડાણ કર્યા પછી આ સોસાયટીઓમાં પાણી પ્રેશરથી આવશે અને લોકોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ પાઈપ લાઈન ચાલુ થવાથી હજારો માણસોને પીવાના પાણીની સુવિધા મળશે.