Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

રાજકોટના મુસાફરો માટે ખરાબ સમાચાર: બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટની ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

રાજકોટના મુસાફરોને હજી થોડી રાહ જોવી પડશે છેલ્લા કેટલાક સમયથી ડબલ ટ્રેકનાં કામને કારણે રાજકોટથી જતી ઘણી ટ્રેનો બંધ રહી હતી ત્યારે ફરી વાર બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટ રૂટ પર ચાલતી ટ્રેનો ડાયવર્ટ કરાઇ છે. પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:ઓખાથી ઉપડનારી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25-ર ના રોજ ગાંધીધામથી ઉપડનારી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ અને 22.2 ના રોજ કામખ્યા થી ઉપડનારી કામાખ્યા-ગાંધીધામ એક્સ્પ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટ ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.23.2ના રોજ ઓખાથી ઉપડનારી ઓખા-બનારસ એક્સપ્રેસ અને 25.2 ના રોજ બનારસ થી ઉપડનારી બનારસ-ઓખા એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા નાગદા-કોટા-બયાના-આગરાફોર્ટ-કાનપુર ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર થઈને ચાલશે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

संबंधित पोस्ट

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

પાટડીના જૈનાબાદ ગામે કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે એ માટે જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો લોક દરબાર યોજાયો

Admin

પોરબંદર જીલ્લાના વિશ્રામ દ્વારકા શીંગડા ગ્રામ પંચાયત ખાતે ગામસભા યોજાય

Admin

बजट से पहले टीम मोदी में बदलाव की संभावना, चुनावी कैलेंडर को लेकर बीजेपी हो रही तैयार

Admin

તડબૂચની ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરતા માલપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો, સમય અને રૂપિયાનો બચાવ

Karnavati 24 News

बीकानेर – पूर्व राजमाता सुशीला कुमारी का निधन . .

Karnavati 24 News
Translate »