Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા વિરુદ્ધ કલેકટરે બદનક્ષીની ફરિયાદ કરી

મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા વિરુદ્ધ કલેકટરે બદનક્ષીની ફરિયાદ કરી

કોર્ટમાં અરજી કરવામાં આવી હોવાની સુત્રો પાસેથી માહિતી 

        મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હોય જે મુલાકાતમાં વડાપ્રધાનના ખર્ચની વિગતો આરટીઆઈથી સામે આવી હોવાનું જણાવીને ટ્વીટ કરવામાં આવ્યું હતું જેને પગલે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાનથી જીલ્લા કલેકટર દ્વારા મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી છે તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પીએમ નરેન્દ્ર મોદી ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ મોરબી આવ્યા હતા જ્યાં તેઓએ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લેવા ઉપરાંત અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી જે મુલાકાત મામલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલ માહિતી મુજબ પીએમ મોદીની મુલાકાતમાં ૩૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે તેવું લખવામાં આવ્યું હતું જે પોસ્ટને કારણે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાથી મોરબી જીલ્લા કલેકટર દ્વારા મોરબી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે

સોશ્યલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે જેમાં પીએમની મુલાકાત સમયે રૂ ૩૦ કરોડનો ખર્ચ થયાનું જણાવ્યું છે અને આ માહિતી આરટીઆઈ મારફત વિગતો સામે આવી હોવાનું લખવામાં આવ્યું હતું જોકે આવી કોઈ આરટીઆઈ હેઠળ તંત્ર પાસેથી વિગતો માંગેલ ના હોય અને વહીવટી તંત્ર દ્વારા કોઈને આ પ્રકારની માહિતી આપવામાં આવી ના હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે જેથી તંત્ર અને સરકારની બદનામી થઇ હોવાથી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સુત્રો જણાવી રહ્યા છે

संबंधित पोस्ट

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

Karnavati 24 News

બેફીકરાઇથી માસ્ક પહેર્યા વગર ફરનારા હવે ચેતી જજો, વડોદરા પોલીસે ફરી શરૂ કર્યું આ કામ

Karnavati 24 News

 હરિધામ–સોખડાના સંત શાસ્ત્રી કૃષ્ણચરણદાસજી બ્રહ્મલીન થયા

Karnavati 24 News

 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરાયાઃ

Karnavati 24 News

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું

Karnavati 24 News