Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં મંદિર નજીક પાર્ક કરેલ કાર માં આગ લાગતા દોડધામ

ભરૂચ:મંદિર પાસે પાર્ક કરેલ કાર માં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ..!

હાલ ઉનાળાની ઋતુ ચાલી છે,જેમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે,ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસ માં ઉધોગો,વાહનો,ગોડાઉનો,મકાનો તેમજ ખુલ્લા પ્લોટ ના ઝાડીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે,તેવામાં વધુ એક ઘટના સામે આવતા એક ગાડી સળગી જતા એક સમયે દોડધામ મચી હતી, ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતા ના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં ગત મોડી સાંજે પાર્ક કરેલ એક ગાડી માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી,જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ઉપસ્થિત લોકો માં નાસભાગ મચી હતી,જોકે ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને કરતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ આગ પર પાણી નો મારો ચલાવી તેને કાબુ માં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો,

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્કિંગ માં રહેલ કાર માં શોર્ટ સર્કિટ થી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ પણ રાહત નો શ્વાસ લીધો હતો

संबंधित पोस्ट

એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા  કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી

Gujarat Desk

સુરતના અમરોલીમાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સભ્યોને મતદાન કરવાના શપથ લેવડાવ્યા

Gujarat Desk

દીપડાનો આતંક યથાવત, સરડોઇ ગામની સીમમાં વધુ બે પશુઓનું મારણ કરતા પશુપાલકો સહીત લોકોમાં ફફડાટ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

Gujarat Desk

અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય‌ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk
Translate »