Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં મંદિર નજીક પાર્ક કરેલ કાર માં આગ લાગતા દોડધામ

ભરૂચ:મંદિર પાસે પાર્ક કરેલ કાર માં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ..!

હાલ ઉનાળાની ઋતુ ચાલી છે,જેમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે,ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસ માં ઉધોગો,વાહનો,ગોડાઉનો,મકાનો તેમજ ખુલ્લા પ્લોટ ના ઝાડીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે,તેવામાં વધુ એક ઘટના સામે આવતા એક ગાડી સળગી જતા એક સમયે દોડધામ મચી હતી, ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતા ના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં ગત મોડી સાંજે પાર્ક કરેલ એક ગાડી માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી,જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ઉપસ્થિત લોકો માં નાસભાગ મચી હતી,જોકે ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને કરતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ આગ પર પાણી નો મારો ચલાવી તેને કાબુ માં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો,

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્કિંગ માં રહેલ કાર માં શોર્ટ સર્કિટ થી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ પણ રાહત નો શ્વાસ લીધો હતો

संबंधित पोस्ट

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

Admin

 સર્પદંશથી ઇજાગ્રસ્ત દર્દી SSG હોસ્પિટલમાં સ્ટ્રેચર પર હતો અને ડોક્ટર સામે પરિવારે કોથળીમાંથી સાપ કાઢતા જ..

Karnavati 24 News

લીમખેડામાં હિન્દુ નવુ વર્ષ અને ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

Karnavati 24 News