Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના; બેરોજગાર યુવાનો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક



(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

        ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦+ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે.

 જેની શૈક્ષણિક લાયકાત  એસ.એસ.સી (ધોરણ-૧૦),  એચ.એસ.સી (ધોરણ-૧૨) , આઈ.ટી.આઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ છે.

અન્ય શરતો મુજબ ઉંમરની લાયકાત ૨૧ થી ૨૪ વર્ષ, ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ના હોવા જોઈએ,  પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ તેમજ આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ,સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ના હોવી જોઈએ.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભોની વાત કરવામાં આવે તો, ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ માહીના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક તથા માસિક ઈન્ટરશીપ એલાઉન્સ રૂ. ૫,૦૦૦ અને રૂ.૬,૦૦૦ મળવાપાત્ર રહેશે.

પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.૧૨/૦૩/૨૦૨૫ સુધીમાં ઉમેદવાર પોતાની જાતે અરજી કરી શકશે, તેમજ અરજી કરવાં જીલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર રૂબરૂ સંપર્ક કરવો.  વેબસાઈટ : www.pminternship.mca.gov.in પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત

      પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી ત્યારબાદ ફરી લોગીન કરી ઈન્ટર્નશીપમાં અપ્લાય કરવું.

      અરજી સમયે આધાર નંબર સાથે લીંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો.

      અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક અકાઉન્ટની વિગત રાખવી.

      અરજી સમયે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા. ૧) આધાર કાર્ડ   ૨) શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો

વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવા તેમજ અન્ય માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ”સી” વિંગ, પહેલો માળ સહયોગ સંકુલ, પથીકાશ્રમની બાજુમાં, સિવિલ હોસ્પિટલની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર નો રૂબરૂ સંપર્ક કરવો અથવા 0૭૯-૨૩૨૨૦૯૬૬ ઉપર ફોન કરવો. પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારોએ માહિતી અત્રેની કચેરીનાં કોન્ટેક્ટ નંબર  0૭૯-૨૩૨૨૦૯૬૬ પર અવશ્ય જાણ કરવાની રહેશે.તેમ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

વિદ્યાર્થિની સ્પોકન ઈંગ્લીશના ક્લાસમાં ગઈ ત્યારે શિક્ષકે તેને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું

Gujarat Desk

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળોને ધ્યાનમાં રાખીને ઠાકોરજીના દર્શનનના સમયમાં ફેરફાર

Gujarat Desk

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ યોજાયો

Gujarat Desk

આગામી 5 દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે

Gujarat Desk

ગ્રાહક સુરક્ષા માટે અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૧૧.૪૫ લાખના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરાયા

Gujarat Desk

 ચાણસ્માની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News
Translate »