Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

પાટણ શહેરમાં વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ તથા સહસ્ત્રલીંગ તળાવ નિહાળવા દેશ- વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓની જરૂરી સુવિધાઓના અભાવના કારણે મુશ્કેલી ભોગવવી પડી રહી છે જેને ધ્યાનમાં રાખીને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પાટણના સાંસદને પત્ર લખી રાણકીવાવ ખાતે પર્યટકોને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રજૂઆત કરી છે.

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર નિહાળવા દિવસ ભર પ્રવાસીઓ આવતાં હોય છે ત્યારે પ્રવાસીઓની જરૂરી સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈ ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પાટણના સાંસદને પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવ્યાં મુજબ પ્રવાસીઓની સુવિધા માટે સવારે 8 કલાકની જગ્યાએ સવારના 6 કલાકથી રાણીની વાવમાં પ્રવેશ આપવો, હાલમાં ગાડીનું પાર્કિંગ ખુબ જ નાનુ હોવાથી ટ્રાફીક સર્જાય છે તો વધુ ગાડીઓના પાર્કિંગ થઇ શકે તેવી ક્ષમતાવાળુ નવીન પાર્કિંગ બનાવવું, માળખાગત સુવિધાઓ જેવી કે બાથરુમ, ટોયલેટ હાલમાં ખુબ જ ઓછા છે તો નવા બાથરુમ- ટોયલેટ બનાવવા, રાણીની વાવનો હાલમાં જે ગાર્ડન છે તે રાત્રી સમયે નાઇટ લાઇટો તથા ગાર્ડનને સુશોભન કરવા માટે લાઇટો કરવી, પ્રવાસીઓને રસ્તાની જાણ માટે રસ્તા ઉપર બોર્ડ તથા એન્ટ્રી લગાવવી જેથી પ્રવાસીઓને અવર-જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, સહસ્ત્રલીંગ તળાવ પાસે ખુબ જ માટીના ઢગ તથા અવર-જવર કરવા નવીન રસ્તો બનાવવા અને બ્લોક પ્લેવીંગ ફીટ કરવા, આર્કોલોજીસ્ટ ઓફિસ પાસેના ગાર્ડનનું નવીનકરણ તથા સુધારણા અને નાઇટ લાઇટો ફીટ કરવા સહિત ગાર્ડનમાં સ્વચ્છતા જળવાય તે માટે સુવિધાઓ સાથે પ્રવાસીઓ સામે નોમીનલ ફી વસુલ કરવી જેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત આવનાર પ્રવાસીઓને ચા-પાણી તથા શુદ્ધ શાકાહારી નાસ્તો અને જમવાની સુવિધા માટે નવીન હોટલનું બાંધકામ કરવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની માંગ પાટણ શહેર ભાજપના પુર્વ પ્રમુખ સુરેશ જે. પટેલે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને પત્ર દ્વારા કરવામાં આવી આવી છે.

संबंधित पोस्ट

દાહોદની શંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝન ને સુખ સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા આપવામાં આવી રહી છે

Karnavati 24 News

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું જે પ્રસંગે પૂર્ણશ મોદી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

દાહોદ જિલ્લાના લીમખેડા ડિવીઝનના પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવેલ આશરે ૩ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે નાશ કર્યાેં છે.

Karnavati 24 News

પાલિતાણા તાલુકામા બાળકો દ્વારા ચોપડા પૂજન કરી અનોખી રીતે દશેરા ઉજવ્યા

Admin