Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણસ્થાનિક સમાચાર

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

જામનગરના એક સોપારીના વેપારી પાસેથી ઉપલેટાના વેપારીએ ત્રણ તબક્કામાં રૂ. 2.35 લાખની સોપારીની ઉધાર ખરીદી હતી. આ રકમની ચુકવણી માટે આપેલ ચેક બેન્કમાંથી રિટર્ન થતા ફરિયાદ નોંધાયા બાદ જામનગરની અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે. જામનગરમાં સો5ારીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી ઉપલેટાના વિશાલ અનિલભાઈ વાછાણી નામના વેપારીએ રૂ.2,35,000 કિંમતની સોપારીની ઉધારમાં ખરીદી હતી. આ રકમની ચુકવણી માટે જુદી જુદી ત્રણ તારીખના ત્રણ ચેક વેપારીએ આપ્યા હતા. તે ચેક બેંકમાં જમા કરાવાતા સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફર્યા હતા. તેથી જામનગરના વેપારીએ ઉપલેટાના વિશાલ અનિલભાઈ વાછાણી સામે જામનગરની અદાલતમાં ફરીયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતમાં ફરીયાદી પક્ષ તરફથી રજૂ કરાયેલા દસ્તવેજી પુરાવા વગેરે અને કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સામેનો કેસ સાબિત થતો હોવાનું ઠરાવી આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેકથી બમણી રકમ એટલે કે રૂપિયા 4,70,000નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચૂકવી આપવા આદેશ થયો છે. દંડ ભરવામાં ન આવે તો આરોપીને વધુ ત્રણ મહિનાને કેદ ભોગવવા હુકમ કરાયો છે. સજાના હુકમ સમયે અદાલતમાં આરોપી વિશાલ અનિલભાઈ વાછાણી હાજર ન હોય અદાલતે તેની ગેરહાજરીમાં હુકમ જાહેર કર્યા પછી તેની સજાનું વોરંટ કાઢવા અને બજવણી માટે રાજકોટ એસ.પી. ને મોકલી આપવા આદેશ કર્યો છે.

संबंधित पोस्ट

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

TMC નેતા સામે બળાત્કારનો કેસ, અધીર રંજનનો સવાલ મમતાના શાસનમાં શું થઈ રહ્યું છે?

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

Admin

કણી ગામે સિમેન્ટનો થાંભલો હટાવવા મુદ્દે ધિંગાણું, બંનેપક્ષે 22 સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કોરોના ને લઇ કડક કાયદા કર્યા, તો બીજી બાજુ એજ રાત્રિએ ભાજપના નેતાની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા

Karnavati 24 News