મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ
મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદને આધારે મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલતો હોય જે માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ કે વોરાને મુકવામાં આવ્યા છે
મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ ગત તા. ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા જે દુર્ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી નવ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે જે કેસ લડવા માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરવામાં આવી છે રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ કે વોરાને સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે મુકવામાં આવ્યા છે જે ઝૂલતો પુલ સંબંધિત કેસો લડશે
મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે