Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પાટણના ભાજપના ઉમેદવારે બાળાઓને કુમકુમ તીલક કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

પાટણના ભાજપના ઉમેદવારે બાળાઓને કુમકુમ તીલક કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ 18 પાટણ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ , જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર , પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક , પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ , પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે . સી . પટેલે , લોકગાયક વિજય સુંવાળા , મંગાજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો , કાર્યકરો અને પાટણ વિધાનસભા વિસ્તાર ના સુજ્ઞ મતદારો ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિજય મુહૂર્તમાં શહેરના એમ . એન . હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નાની કુંવાસી બાલિકાઓનું કુમકુમ તિલક સાથે પુજન કરી તેઓના આશીર્વાદ મેળવી આયોજિત સંમેલન ને સંબોધીત કરી વિશાળ કાફલા સાથે ડીજે ના તાલે પોતાનો રોડ શો યોજી પ્રાંત કચેરી ખાતે વિજયના વિશ્વાસ સાથે પોતાનુ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું 18 પાટણ વિધાનસભા બેઠકના શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ પાટણ મતવિસ્તારના અધુરા વિકાસ કામો પરિપૂર્ણ કરવાની સાથે સાથે મહિલાઓના ઉત્થાન , બેરોજગારીની સમસ્યાને નિવારવા માટે જીઆઇડીસી સ્થાપિત કરી તેનાં થકી ઉદ્યોગો વિકસિત કરવાની નેમ વ્યક્ત કરી પાટણની દિકરી તરીકે પાટણ વિધાનસભા બેઠક ની પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરી સેવા કરવાનો લ્હાવો મળ્યો છે જેને સાચા અર્થમાં પરીપૂર્ણ કરવા પોતે કટીબદ્ધ હોવાનું જણાવી પાટણ વિધાનસભા બેઠક નું કમળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં વિકાસ માટે ગુજરાત માં પુનઃ બનનારી ભાજપ સરકાર ને સમર્પિત કરવા આહ્વાન કર્યું હતું

संबंधित पोस्ट

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

Karnavati 24 News

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

ભાજપ- સપામાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા – આપનો દાવો

Karnavati 24 News

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

Karnavati 24 News

સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર, કોર્ટે ટીવી પર જઈને માફી માંગવા કહ્યું

Karnavati 24 News

અમિતશાહના હસ્તે અમદાવાદમાં 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે

Karnavati 24 News