Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર 15થી 18 વર્ષના બાળકોનું વેક્સીનેશન 3 જાન્યુઆરીથી શરૂ થઇ ગયુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશોને જાહેર કર્યુ છે કે 15-18 વર્ષના બાળકોને માત્ર કોવેક્સીન આપવામાં આવશે જેના ડોઝ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને મોકલી દેવામાં આવ્યા છે.

1 જાન્યુઆરી 2020માં આ વેક્સીનેશન માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયુ છે, રજિસ્ટ્રેશન વગર પણ વેક્સીનેશન કેન્દ્રમાં જઇને વેક્સીન લઇ શકે છે. 6 લાખ 35 હજારથી વધુ બાળકોએ તેની માટે રજિસ્ટ્રેશન કર્યુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 2007 અથવા તે પહેલા જન્મેલા બાળકો જ વેક્સીન લઇ શકે છે, બીજી તરફ વેક્સીન લેવાના તુરંત બાદ અડધા કલાક સુધી વેક્સીનેશન કેન્દ્ર પર રાહ જોવી પડશે જેથી કોઇ સમસ્યા થવા પર તેની સારવાર કરી શકાય.

બીજો ડોઝ 28 દિવસ પછી લઇ શકાય છે

આ સિવાય મંત્રાલયે તમામ રાજ્યોને સૂચના આપી છે કે 15થી 18 વર્ષના બાળકો માટે અલગથી વેક્સીનેશન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે અથવા પછી વેક્સીનેશન કેન્દ્ર પર તેમની માટે અલગથી લાઇન હોય જેથી વેક્સીન આપતા સમયે કોઇ ગડબડ ના થાય.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી કે 10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ એટલે કે વેક્સીનનો ત્રીજો ડોઝ 60 વર્ષથી વધુની ઉંમરના તે લોકો જેમણે કો-મોર્ડિટી છે તેમણે પણ પોતાના ડૉક્ટરની સલાહ પર જ વેક્સીનનો ત્રીજો ડોઝ લેવાનો છે.

संबंधित पोस्ट

જિલ્લા કલેકટર ક્ષિપ્રાના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી આ કેમ્‍પમાં દિવ્‍યાંગ રોજગાર ભરતી મેળાની પણ નોંધણી કરવામાં આવશે

Karnavati 24 News

આપ નેતા ઇસુદાનને જામીન:દિલ્હીથી આવેલા સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાનને છોડાવ્યા, પાર્ટીના નેતા માટે કેજરીવાલે દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા

Karnavati 24 News

ભાજપ- સપામાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા – આપનો દાવો

Karnavati 24 News

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin

નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપેઃ નડ્ડાએ કહ્યું- પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે

Karnavati 24 News

ભારતીય જનતા પાટીઁ ના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ… એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા…

Karnavati 24 News