Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી પાટણના પટ્ટણી યુવાનને ધમકી આપી તેની પાસે રૂ ।. 50 હજારની ખંડણી માંગવાનાં આરોપસર ઝડપાયેલા કેટલાક આરોપીઓ પૈકી એક આરોપીની પાટણ એ – ડીવીઝન પોલીસે પૂછપરછ હાથ ધરી છે . આ શખ્સો સામે નોંધાયેલી એક ફરીયાદનાં અનુસંધાને તેની તપાસ કરવાને પૂછપરછ કરવા માટે પાટણની સુજનીપુર સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે તેનો કબજો મેળવીને પૂછપરછ હાથ ધરી છે . આ અંગેની વિગત એવી છે કે , પાટણ શહેર એ – ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા . 31-10-22નાં રોજ આઇપીસી 395/397/307 મુજબનો ગુનો નોંધાયો હતો . જે કેસમાં પોલીસે પાંચ આરોપીને પકડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી . તે દરમિયાન તા . 3-11-22માં રોજ પાટણનાં રાજેશ પટ્ટણીએ ફરીયાદ નોંધાવી હતી કે , તા . 3–11-22નાં રાત્રે 1 વાગે તેનાં મોબાઇલ પર ધમકી આપીને ‘ અમારા છ માણસોને જેલમાં પૂરાવેલ છે તેમને થઈ છોડાવવા રૂા . 50 હજાર આપી દે , નહિં તો તને જાનથી મારી નાખીશું ‘ તેમ જણાવ્યું હતું . જેથી જે અંગે ફરિયાદી આઇપીસી 506/507/385/384 મુજબની નોંધાઇ હતી . આ કેસમાં આરોપીઓને બાલીસણા પોલીસે પકડી પાડતાં તેઓએ ઉપરોક્ત મુજબની કબુલાત કરી હતી . જે પૈકીકિશન ઉર્ફે કાળીયો રાજેશ મગન પટ્ટણી રે . પાટણ , મૂળ રે . ચમનપુરા અમદાવાદ વાળાને પાટણ એ – ડીવીઝન પોલીસે પોતાનાં ગુનાની તપાસ અર્થે પાટણની સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી એએસઆઇ રાઇટર પાંચ ભાઈ પટેલ અને દિપક ભાઈ અને મૌલિક ભાઈ પટેલ તપાસ ચલાવી રહ્યા છે

संबंधित पोस्ट

ભરૂચ:નર્મદા ચોકડી ખાતેથી વેપારીને બંધ ક બનાવી જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવામાં ફાયરિંગ કરી ૧૫ લાખની લૂંટ ને અંજામ આપી ગેંગ ફરાર થતા ચકચાર

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

Karnavati 24 News

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

ઇન્સ્પેકશન કમેટીના ચેરમેન તરીકે બી.એડ. કોલેજ , નગરાળાનું ઇન્સ્પેકશન કરી ખૂટતા સૂચનો કર્યા

Karnavati 24 News

ચેરમેન ઉપર કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં આપ્યું નિવેદન

Karnavati 24 News