તાજેતરમાં જ આપ પાર્ટીમાં જોડાયેલા પાટીદાર નેતા પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ગોંડલ વિધાનસભા બેઠકને લઈને અલગ મોડ આવી શકે છે. આ વિધાનસભાની બેઠકો હંમેશા ચર્ચામાં રહી છે.
અલ્પેશ કથિયિરીયા પાટીદાર નેતા છે અને ક્ષત્રિયની સાથે સાથે પાટીદારોનું પણ ત્યાં પ્રભુત્વ છે. ત્યારે અલ્પેશ કથિરીયાને આ ચાન્સ મળી શકે છે. આ ઉપરાંત યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનું સમર્થન પણ મળી શકે છે. આ ગ્રુપ પણ સમર્થનમાં આવી શકે છે.
ગોંડલ બેઠક પરથી મનીષા ખુંટનું નામ જાહેર કર્યું છે ત્યારે આ નામ બદલી આપ અલ્પેશ કથિરિયાનું નામ જાહેર કરી શકે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગોંડલ બેઠક પર સૌ કોઈની નજર છે. મળતી વિગતો અનુસાર અલ્પેશ કથિરીયા પણ ઈચ્છા ધરાવે છે. જેથી નવા જૂની પણ ગોંડલમાં પણ થઈ શકે છે. આપ પાર્ટી નવા જાતિગત સમીકરણના આધારે આ નિર્ણય લઈ શકે છે.
તમામ આંદોલન સાથે જોડાયેલા પાસના સંયોજકો એવા કથિરીયા કોઈ પણ રાજકિય પક્ષમાં જોડાયા નહોતા પરંતુ અલ્પેશ કથિરીયા આપમાં જોડાતા પાટીદાર પ્રભૂત્વ ધરાવતી સીટ તેમને ફળી પણ શકે છે. જો કે, સૂરતમાંથી પણ લડે તો નવાઈ નહીં. તાજેતરમાં જ તેઓ અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વિધીવત રીતે જોડાયા છે. આમ અલ્પેશ કથિરીયાની આપ પાર્ટીમાં જોડાતા આપને પણ પાટીદારોનું સમર્થન મળી શકે છે.