Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગોંડલ વિધાનસભા બેઠક અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ઉતારી શકે છે, જાતિગત સમીકરણો

તાજેતરમાં જ આપ પાર્ટીમાં જોડાયેલા પાટીદાર નેતા પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ગોંડલ વિધાનસભા બેઠકને લઈને અલગ મોડ આવી શકે છે. આ વિધાનસભાની બેઠકો હંમેશા ચર્ચામાં રહી છે.

અલ્પેશ કથિયિરીયા પાટીદાર નેતા છે અને ક્ષત્રિયની સાથે સાથે પાટીદારોનું પણ ત્યાં પ્રભુત્વ છે. ત્યારે અલ્પેશ કથિરીયાને આ ચાન્સ મળી શકે છે. આ ઉપરાંત યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનું સમર્થન પણ મળી શકે છે. આ ગ્રુપ પણ સમર્થનમાં આવી શકે છે.

ગોંડલ બેઠક પરથી મનીષા ખુંટનું નામ જાહેર કર્યું છે ત્યારે આ નામ બદલી આપ અલ્પેશ કથિરિયાનું નામ જાહેર કરી શકે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગોંડલ બેઠક પર સૌ કોઈની નજર છે. મળતી વિગતો અનુસાર અલ્પેશ કથિરીયા પણ ઈચ્છા ધરાવે છે. જેથી નવા જૂની પણ ગોંડલમાં પણ થઈ શકે છે. આપ પાર્ટી નવા જાતિગત સમીકરણના આધારે આ નિર્ણય લઈ શકે છે.

તમામ આંદોલન સાથે જોડાયેલા પાસના સંયોજકો એવા કથિરીયા કોઈ પણ રાજકિય પક્ષમાં જોડાયા નહોતા પરંતુ અલ્પેશ કથિરીયા આપમાં જોડાતા પાટીદાર પ્રભૂત્વ ધરાવતી સીટ તેમને ફળી પણ શકે છે. જો કે, સૂરતમાંથી પણ લડે તો નવાઈ નહીં. તાજેતરમાં જ તેઓ અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વિધીવત રીતે જોડાયા છે. આમ અલ્પેશ કથિરીયાની આપ પાર્ટીમાં જોડાતા આપને પણ પાટીદારોનું સમર્થન મળી શકે છે.

संबंधित पोस्ट

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત, 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

Admin

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ છેલ્લા 1 વર્ષથી બંધ જોવા મળી

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ, ACBના દરોડામાં મળી લાખોની રોકડ અને ગેરકાયદેસર હથિયાર

 ખેડા જિલ્લામાં નવ મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાપર્ણ કરતા સાંસદ જુગલજી ઠાકોર

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News
Translate »