Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત, 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના પ્રચારનો ધમધમાટ આજે સાંજે સમાપ્ત થઈ જશે. બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મેઘાલય વિધાનસભાની કુલ 60 બેઠકો અને નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે મતદાન થશે. પ્રચારના છેલ્લા દિવસે મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષોએ પૂરજોશમાં કામે લાગી ગયા છે. આ પહેલા ગઈકાલે ભાજપ વતી પીએમ મોદીએ મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રચાર કર્યો હતો. તેમણે રેલીઓને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને ભાજપના શાસનની સરખામણી કરી હતી.

મેઘાલયમાં 60 બેઠકો પર 375 ઉમેદવારો

27 ફેબ્રુઆરીએ યોજાનારી મેઘાલય વિધાનસભાની 60 બેઠકો માટે 375 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 57 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP) એ 47 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે VPP અને HSDP એ અનુક્રમે 18 અને 11 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તમામ પક્ષો પોતાના સ્તરે ચૂંટણી લડી રહ્યા છે.

નાગાલેન્ડમાં 59 બેઠકો પર ચૂંટણી, 183 ઉમેદવારો

નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે કુલ 183 ઉમેદવારો મેદાનમાં છે અને તેમાંથી માત્ર ચાર મહિલાઓ છે. એક બેઠક પર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કાઝેટો કિનીમીએ ઝુનહેબોટો જિલ્લાની અકુલુટો વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા વિના જીત મેળવી છે. કિનીમી સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ જીત્યા. સત્તાધારી NDPP 40 બેઠકો પર, ભાજપ 20 પર, કોંગ્રેસ 23 પર જ્યારે NPF 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 15 બેઠકો પર લોક જનશક્તિ (એલજેપી-રામ વિલાસ), એનપીપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 12-12 બેઠકો પર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) નવ બેઠકો પર, જનતા દળ (યુનાઈટેડ) સાત બેઠકો પર, રાષ્ટ્રીય જનતા દળ ત્રણ અને સીપીઆઈ અને રાઇઝિંગ ધ પીપલ્સ પાર્ટી એક-એક સીટ પર ચૂંટણી લડી રહી છે.

संबंधित पोस्ट

ઉતરાયણ પર્વે પંખીઓને ઈજા ન થાય તેની તકેદારી લેવી જરૂરી – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Karnavati 24 News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

Admin

ભાજપ- સપામાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા – આપનો દાવો

Karnavati 24 News

98 રાજુલા વિધાનસભામાં વિજય વિશ્વ સંમેલન સાથે કોંગ્રેસ પક્ષના વર્તમાન ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું

Admin

ગુજરાતની કોર કમિટીમાં લેવાયો નિર્ણય: 22મી સુધી જાહેર કાર્યક્રમોમાં 150 વ્યક્તિઓની રહેશે મર્યાદા

Karnavati 24 News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

Karnavati 24 News
Translate »