Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પાટણના રોટલીયા હનુમાન મંદિર ખાતેથી હાંસાપુર રામાપીરના મંદિર સુધી ભકિતસભર માહોલમાં પદયાત્રા યોજાઇ

પાટણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 29મી ઓગસ્ટના રોજ યોજાનાર ભગવાન રામાપીરની જન્મજયંતિની ઉજવણી સંદર્ભે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રીની આગેવાની હેઠળ રોટલીયા હનુમાન મંદિર ખાતેથી બાબરી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનના પ્રસિધ્ધ રણુંજા યાત્રાધામ ખાતે બીરાજમાન બાર બીજના ધણી બાબારામદેવપીરના ભાદરવા સુદ બીજના પ્રાગટય દિવસને લઇ પાટણ શહેરમાં આવેલા વિવિધ રામદેવપીરના સ્થાનકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 28 ઓગસ્ટના રોજ યોજાનાર બાબરી બાઇક સંઘ અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની આગેવાની હેઠળ રોટલીયા હનુમાન મંદિર ખાતેથી હાંસાપુર રામાપીરના મંદિર ખાતે પદયાત્રા યોજાઇ હતી.

આ પદયાત્રા રોટલીયા હનુમાન ખાતેથી પ્રસ્થાન પામી હાંસાપુર, માતરવાડી અને લીલીવાડી વિસ્તારમાં આવેલા રામાપીરના મંદિરો પર ધજા નેજા સાથે નગરજનોમાં ભાદરવા સુદ બીજ– રામાપીરના પ્રાગટય દિવસે યોજાનાર બાબરી બાઇકસંઘ અંગે સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ પદયાત્રા સંઘ દ્વારા બુધવારના રોજ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં આવેલ રામાપીર મંદિર, દુઃખવાડા, તેમજ રામનગરના રામાપીર મંદિરે ભકિતસભર માહોલમાં પદયાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કે.સી.પટેલે જણાવ્યું હતું કે, સૌની આસ્થાઓ પૂર્ણ કરનાર બાબા રામદેવપીરની જન્મજયંતિ નિમિત્તે સૌ નગરજનો બાબરી બાઇકસંઘમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો. આ પદયાત્રામાં સ્નેહલ પટેલ, કિશોર મહેશ્વરી, વિજય પટેલ, હર્ષ પટેલ સહિત ભાજપના કાર્યકરો જોડાયા હતા.

संबंधित पोस्ट

સંકટમાં ઉદ્ધવ સરકાર LIVE: સંજય રાઉતે કહ્યું- મહત્તમ સત્તા જશે; સાંજ સુધી 50 ધારાસભ્યો ઠાકરેની વિરુદ્ધ હોઈ શકે છે

Karnavati 24 News

આપ નેતા ઇસુદાનને જામીન:દિલ્હીથી આવેલા સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાનને છોડાવ્યા, પાર્ટીના નેતા માટે કેજરીવાલે દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા

Karnavati 24 News

વોર્ડ નં.૪માં મોરબી રોડ થી મધુવન રોડ સુધી રોડ કામનું ખાતમુહૂર્ત રાજકોટ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરિયા અને સોનલબેન ચોવટીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Karnavati 24 News

વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓનું મહત્વનું પ્રદાનઃ

Karnavati 24 News

ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બોલપેન આપી બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

Karnavati 24 News

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News