Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર .

આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, EWS કોટા પર સામાન્ય વર્ગનો જ અધિકાર છે, કારણ કે એસસી-એસટી લોકો પહેલાથી જ અનામતના ઢગલાબંધ ફાયદા ઉઠાવી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની સંવિધાન પીઠ સમક્ષ અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે મંગળવારે કહ્યું હતું કે, પછાત જાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પહેલાથી અનામતના ફાયદા લઈ રહ્યા છે. સામાન્ય વર્ગના ગરીબ લોકોને આ કાયદા અંતર્ગત લાભ મળશે, જે ક્રાંતિકારી સાબિત થશે. વેણુગોપાલે કહ્યુ કે, આ કાયદો આર્ટિકલ 15 (6) અને 16 (6) મુજબ જ છે. આ પછાત અને વંચિતોને એડમિશન અને નોકરીમાં અનામત આપે છે અને 50 ટકાની મર્યાદાને પાર કરતો નથી. તેમણે કહ્યું કે, સંવિધાનમાં એસસી અને એસટી માટે અનામત અલગથી અપાયેલુ છે. તે મુજબ, સંસદમાં, પંચાયતમાં અને સ્થાનિક નિગમોમાં તથા પ્રમોશનમાં પણ તેમને અનામત આપવામાં આવે છે. જો તેમના પછાતપણાને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારનો ફાયદો તેમને આપવામા આવે તો, EWS કોટા મેળવવા માટે તે તમામ ફાયદો છોડવા માટે તૈયાર થશે. જાન્યુઆરી 2019માં 103મું સંવિધાન સંશોધન અંતર્ગત EWS કોટા લાગૂ કર્યો હતો. હવે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. અરજીમાં કહેવાયુ છે કે, એસસી, એસટી અને ઓબીસીમાં ગરીબ લોકો છે, તો તેમને આ અનામત ફક્ત સામાન્ય વર્ગના લોકોને શા માટે આપવામા આવે છે. તેનાથી 50 ટકાના અનામતના નિયમનું ઉલ્લંઘન થાય છે. પહેલાથી જ ઓબીસીને 27 ટકા, એસટીને 15 ટકા અને એસસી માટે 7.5 ટકા કોટા નક્કી કરેલા છે. ત્યારે આવા સમયે 10 ટકા EWS કોટા 50 ટકા નિયમ વિરુદ્ધ છે.

संबंधित पोस्ट

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News

New Covid-19 mutant XE could be most transmissible yettbb, says WHO

ભાજપના ધારાસભ્ય ભરત પટેલનું વિવાદિત નિવેદન , કહ્યું- હું જ્યારે ઇચ્છું ત્યારે રમખાણો કરાવી શકું છું

Karnavati 24 News

સુખવિન્દર સિંહ સુખુ બનશે હિમાચલ પ્રદેશના નવા સીએમ! નિર્ણય પર પાર્ટીથી નારાજ પ્રતિભા સિંહ

Admin

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin
Translate »