Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

રાહત / આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દૂર-દૂરના વિસ્તારમાં ઘરે-ઘરે જવા અને આધાર નંબરને મોબાઈલ નંબરો સાથે જોડવા, વિવરણ અપડેટ કરવા, આ સાથે નવા આધારની નોંધણી કરવાની સુવિધા આપશે. આ સુવિધા હેઠળ દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોને જોડવામાં આવશે.

1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે

યુઆઈડીએઆઈના એક વરિષ્ઠ અધિકારીએ વેબસાઈટને માહિતી આપતા કહ્યું કે યોજનાના બીજા ભાગમાં બધા 1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે. અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે યુઆઈડીએઆઈ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો અને વધુમાં વધુ નાગરિકોને નોંધણી કરાવવાનો છે.

પોસ્ટમેન આધાર કિટની સાથે આવશે

યુઆઈડીએઆઈની આ યોજના હેઠળ વાત કરતા કહ્યું કે આ આધાર કાર્ડ ધારકોને આવશ્યક વિવરણને અપડેટ કરાવવા માટે પોસ્ટમેનને આવશ્યક ડિજિટલ ગિયર જેવા ડેસ્કટૉપ અથવા લેપટોપ આધારીત કિટ પ્રદાન કરશે. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી બાળકની નોંધણી માટે ટેબલેટ અને મોબાઈલ-આધારિત કિટનો ઉપયોગ કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

World AIDS Day 2022: શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્ત્વ

Admin

શિશુવિહાર સંસ્થા દ્વારા એમ. કે. જમોડ શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

Karnavati 24 News

રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો

Karnavati 24 News

VSSC માં ભરતી 2022 માટે એપ્લિકેશન માટે ફોર્મ આવ્યું બહાર

Karnavati 24 News

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Admin
Translate »