Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

રાહત / આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દૂર-દૂરના વિસ્તારમાં ઘરે-ઘરે જવા અને આધાર નંબરને મોબાઈલ નંબરો સાથે જોડવા, વિવરણ અપડેટ કરવા, આ સાથે નવા આધારની નોંધણી કરવાની સુવિધા આપશે. આ સુવિધા હેઠળ દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોને જોડવામાં આવશે.

1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે

યુઆઈડીએઆઈના એક વરિષ્ઠ અધિકારીએ વેબસાઈટને માહિતી આપતા કહ્યું કે યોજનાના બીજા ભાગમાં બધા 1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે. અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે યુઆઈડીએઆઈ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો અને વધુમાં વધુ નાગરિકોને નોંધણી કરાવવાનો છે.

પોસ્ટમેન આધાર કિટની સાથે આવશે

યુઆઈડીએઆઈની આ યોજના હેઠળ વાત કરતા કહ્યું કે આ આધાર કાર્ડ ધારકોને આવશ્યક વિવરણને અપડેટ કરાવવા માટે પોસ્ટમેનને આવશ્યક ડિજિટલ ગિયર જેવા ડેસ્કટૉપ અથવા લેપટોપ આધારીત કિટ પ્રદાન કરશે. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી બાળકની નોંધણી માટે ટેબલેટ અને મોબાઈલ-આધારિત કિટનો ઉપયોગ કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં ઈ-કોર્ટ મિશન ઝડપથી વધી રહ્યું છે

Admin

આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

Karnavati 24 News

પીએમ મોદીએ ભૂજવાસીઓને 200 બેડ ધરાવતી હૉસ્પિટલની ભેટ આપી, 10 વર્ષમાં દેશને મળશે રેકોર્ડ ડૉક્ટર

Karnavati 24 News

રથયાત્રા સાથે જોડાયેલી વાતોઃ ભગવાન કૃષ્ણએ તેમની બહેન સુભદ્રા જીની દ્વારકા યાત્રા કરી હતી

Karnavati 24 News

જ્ઞાનવાપી કેસ: SC 5 મિનિટમાં સુનાવણી કરશે; કહ્યું- બનારસ કોર્ટે ચુકાદો ન આપવો જોઈએ

Karnavati 24 News

દિવ ફુદમ ગંગેશ્વર રોડની બંને સાઇડ વૃક્ષોમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યો

Karnavati 24 News
Translate »